SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ જે. ] નલકુબરને થયેલ પરાભવ. ( ૩૫ રાવણે હાસ્ય સાથે વિભીષણની સામું જોયું એટલે “gવમસ્તુ' એમ કહીને તેણે તે પ્રતિકાને વિદાય કરી. પછી રાવણે ક્રોધ લાવીને વિભીષણને કહ્યું-“અરે ! આવું કુળવિરૂદ્ધ કાર્ય તે કેમ સ્વીકાર્યું? રે મૂઢ! આપણા કુળમાં કઈ પુરૂએ રણભૂમિમાં શત્રુઓને પૃષ્ઠ અને પરસ્ત્રીને હૃદય કદિ પણ આપ્યું નથી. અરે વિભીષણ! આવાં વચનથી પણ તે આપણા કુળમાં નવીન કલંક લગાડ્યું છે! તારી આવી મતિ કેમ થઈ કે જેથી તું એવું છે ?” વિભીષણે કહ્યું-“હે આર્ય મહાભુજ ! પ્રસન્ન થાઓ, શુદ્ધ હૃદયવાળા પુરુષોને વાણીમાત્રથી કલંક લાગતું નથી. તે ઉપરંભા ભલે આવે ને તમને વિદ્યા પણ આપે. શત્રુ તમારે વશ થાય, એટલે પછી તમે તેને અંગીકાર કરશે નહીં. વાણની યુક્તિથી તેને છોડી દેજે.” વિભીષણનાં આવાં વચન રાવણે સ્વીકાર્યા, તેવામાં તેને આલિંગન કરવામાં લંપટ એવી ઉપરંભા ત્યાં આવી પહોંચી. પિતાના પતિએ નગરને કિલ્લા રૂપ કરેલી આશાળી વિદ્યા તેણે રાવણને આપી, અને તે સિવાય બીજાં વ્યંતરરક્ષિત અમેઘ શસ્ત્રો પણ આપ્યાં. પછી રાવણે તે વિદ્યાથી તે અગ્નિને પ્રાકાર (કિલ્લે) સંહરી લીધો, અને લશ્કર તથા વાહન સહિત દુલ ધ્યપુરમાં પ્રવેશ કર્યો. તત્કાળ નલકુબર તૈયાર થઈ યુદ્ધ કરવાને આ; પરંતુ હાથી જેમ ચામડાની ધમણને પકડી લે તેમ વિભીષણે તેને સહજમાં પકડી લીધે. સુર અને અસુરોથી અજેય એવું ઇંદ્ર સંબંધી મહા દુર્ધર સુદર્શન ચક્ર રાવણને ત્યાંથી પ્રાપ્ત થયું. પછી નલકુબર નમી પડ્યો, એટલે રાવણે તેને તેનું નગર પાછું સોંપી દીધું. કારણ કે પરાક્રમી પુરુષે જેવા વિજયના અથી હોય છે તેવા દ્રવ્યના અથી લેતા નથી. પછી રાવણે ઉપરંભાને કહ્યું-“હે ભદ્ર! મારી સાથે વિનયથી વર્તનાર અને તારા કુળને ચગ્ય એવા તારા પતિને જ તું અંગીકાર કર; કારણ કે તે મને વિદ્યાદાન કર્યું, તેથી તું તે મારે ગુરુસ્થાને છે, તેમજ પરસ્ત્રીઓને હું માતા અને બેનને ઠેકાણેજ જોઉં છું. તું કાસવજની પુત્રી છે, અને સુંદરીના ઉદરથી ઉત્પન્ન થયેલી છે, તે બને કુળમાં શુદ્ધ એવી તને કલંક ન લાગો.” આ પ્રમાણે કહી તેને નલકુબર રાજાને સોંપી જાણે રીસાઈને પિતાને ઘરે ગયેલી સ્ત્રી નિર્દોષપણે પાછી આવે તેમ તે આવી. રાજા નલકુબરે રાવણને માટે સત્કાર કર્યો. પછી ત્યાંથી રાવણની સેનાની સાથે તે રથનૂપુર નગરે આવ્યા. રાવણને આવેલા સાંભળીને મહા બુદ્ધિમાન સહસ્ત્રાર રાજાએ પોતાના પુત્ર ઈંદ્ર પ્રત્યે સનેહપૂર્વક કહ્યું-“હે વત્સ! તારા જેવા મોટા પરાક્રમી પુત્રે જન્મ લઈને બીજા વંશની ઉન્નતિ ન્યૂન કરી આપણુ વંશને પરમ ઉન્નતિને પમાડ્યો છે. આ બધી બાબત તે એકલા પરાક્રમથી જ કરેલી છે, પરંતુ હવે નીતિને પણ અવકાશ આપવો જોઈએ. કેઈવાર એકાંત પરાક્રમ વિપત્તિને પણ આપે છે. અષ્ટાપદ વિગેરે બલિષ્ઠ પ્રાણીઓ એકાંત પરાક્રમથી વિનાશ પામે છે. આ પૃથ્વી હમેશાં ૧. પૂર્વે સહસ્ત્રાર રાજાએ દીક્ષા લીધાનો અધિકાર આવી ગયા છે, પણ તે આ યુદ્ધ થયા પછીની હકીકત સમજવી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy