SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨]. પશુવધાત્મક યજ્ઞની પ્રવૃત્તિ ક્યારે થઈ? [ પ ૭ મું. લાગ્યો. તે પેલા પરમાધાર્મિક અસુરના જાણવામાં આવ્યું, જેથી તેની વિદ્યાને ઘાત કરવાને તે મહાકાળે યજ્ઞમાં ઋષભદેવની પ્રતિમા સ્થાપિત કરવા માંડી, એટલે તે દિવાકર બેચર વિરામ પામી ગયે. પછી હું ઉપાયક્ષીણ થવાથી શાંત થઈને બીજે ચાલ્યા ગયા. પછી તે અસુરે માયાથી યજ્ઞમાં સગરરાજાની ભાવના કરી, અને તત્કાળ સુલસા સહિત સગરરાજાને યજ્ઞના અગ્નિમાં હોમી દીધે. પછી તે મહાકાળ અસુર કૃતાર્થ થઈને પિતાને સ્થાનકે ગયે. ( આ પ્રમાણે પાપના પર્વતરૂપ તે પર્વત થકી યાજ્ઞિક બ્રાહ્મણેએ હિંસાત્મક યજ્ઞ પ્રવર્તાવ્યા છે, તે તમારે અટકાવવા ગ્ય છે.” આવાં નારદનાં વચન અંગીકાર કરી સત્કારપૂર્વક તેને વિદાય કરીને રાવણે મરૂત્તરાજાને ક્ષમા આપી. મરુત્ત રાવણને નમીને બોલ્યો-“હે સ્વામી ! આ કૃપાને ભંડાર કેણુ પુરુષ હતો કે જેણે આ પાપમાંથી અમને તમારી પાસે નિવૃત્ત કરાવ્યા?' આવા તેના પ્રશ્નથી રાવણ નારદની ઉત્પત્તિ કહેવા લાગ્યા – “બ્રહારૂચિ નામે એક બ્રાહ્મણ હતો. તે તાપસ થયે હતો, છતાં તેની કમી નામે સ્ત્રી સગર્ભા થઈ. એક વખતે તેને ઘેર સાધુએ આવ્યા. તેમાંથી એક સાધુ બોલ્યા કે “તમેએ સંસારના ભયથી ગૃહવાસને ત્યાગ કર્યો તે તે બહુ સારું કર્યું, પણ ફરીવાર અને સંગ રાખીને વિષયમાં ચિત્તને લુખ્ય કરે છે, ત્યારે ગૃહવાસથી આ વનવાસ શી રીતે સારે કહેવાય?” તે સાંભળી બ્રહારૂચિએ જિનશાસનને સ્વીકાર કરીને દીક્ષા લીધી, અને તે કૂમી પરમ શ્રાવિકા થઈ મિથ્યાત્વને છેડી ત્યાંજ રહીને તેણે એક પુત્રને જન્મ આપ્યું. તે પુત્ર જન્મસમયે રૂદન કર્યું નહોતું તેથી તેનું નામ નારદ પાડ્યું. એકદા તે કુમી બીજે ગઈ હતી તે સમયે જામક દેવતાએ તેના પુત્રને હરી લીધે. એટલે પત્રકથી તેણે ઇમાળા નામની આ પાસે જઈને દીક્ષા લીધી. જાંભક દેવતાઓએ તે પુત્રને ઉછેર્યો અને શાસ્ત્ર ભણાવ્યાં. પછી અનુક્રમે તેને આકાશગામિની વિદ્યા આપી. શ્રાવકનાં અણુવ્રત ધરતો એ પુત્ર યૌવન વયને પ્રાપ્ત થશે. મસ્તક પર શિખા રાખવાથી એ યતિ કે ગૃહસ્થ ગણાતો નથી. તે નારદ કલહ જેવાને આકાંક્ષી છે, ગીત અને નૃત્યને શેખીન છે, અને હમેશાં કામદેવની ચેષ્ટાથી રહિત છતાં અતિ વાચાલ અને અતિ વત્સલ છે, વીર અને કામુક પુરૂષની વચ્ચે તે સંધિ ને વિગ્રહ કરાવે છે, હાથમાં છત્રી, અક્ષમાળા અને કમંડલુ રાખે છે અને પગમાં પાદુકા પહેરે છે, દેવતાઓએ તેને ઉછેર્યો છે તેથી તે પૃથ્વીમાં દેવર્ષિના નામથી પ્રખ્યાત છે, અને પ્રાયઃ બ્રહ્મચારી અને વેચ્છાચારી છે.” આ પ્રમાણે નારદની વાર્તા સાંભળીને મરૂત્ત રાજાએ પોતે અજ્ઞાનથી કરેલા યજ્ઞના અપરાધને ખમાવ્યું. પછી મરૂન રાજાએ કનકપ્રભા નામની પિતાની કન્યા રાવણને આપી અને રાવણ તેની સાથે પરણ્ય. પવનની જે બળવાન અને મોટા પરાક્રમવાળે રાવણ મરૂત રાજાના યજ્ઞનો ભંગ કરીને ત્યાંથી મથુરા નગરીમાં આવ્યું. મથુરાના રાજા હરિવહન શિવની જેમ ત્રિશૂલધારી મધુ નામના પુત્રની સાથે રાવણની સામે આવ્યો. ભક્તિથી આવેલા હરિવહનની સાથે કેટલીક વાર્તા કર્યા પછી રાવણે પૂછયું કે “આ તમારા પુત્રને ત્રિશૂલનું આયુધ કયાંથી?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy