SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [ પ ૯ મું ત્યાં સર્વ કરિયાણાં વેચી મનને ધાર્યો લાભ મેળવી બીજા કરિયાણાં ખરીદીને તે પિતાના નગર તરફ પાછે ચાલે. સમુદ્રમાં ચાલતાં અનુક્રમે તે પોતાના દેશની નજીક આવ્યા, તેવામાં પ્રતિકૂળ પવનથી ડેલતું તેનું વહાણ ભાંગી ગયું, પરંતુ કાંઈક અનુકૂળ દેવથી તેના હાથમાં એક કાષ્ઠનું પાટિયું આવ્યું, તેથી તેના વડે તરત બંધુદત્ત સમુદ્રતટના આભૂષણરૂપ રત્નાદ્વીપે આવ્યો. ત્યાં એક વાપિકામાં ઉતરી સ્નાન કરીને તે પાકેલાં આમ્રફળવાળા વનમાં ગયે. ત્યાં સુધારૂપ રોગના ઔષધરૂપ સ્વાદિષ્ટ આમ્રફળોનું તેણે ભક્ષણ કર્યું. એવી રીતે માર્ગમાં વનફળને આહાર કરતે બંધુદત્ત અનુક્રમે રત્નપર્વત પાસે આવ્યા. પછી તે પર્વત ઉપર ચડ્યો, ત્યાં એક રત્નમય ચિત્ય તેના જેવામાં આવ્યું એટલે તેણે તે ચૈત્યમાં પ્રવેશ કર્યો, ત્યાં રહેલી અરિષ્ટનેમિની પ્રતિમાને વંદના કરી અને ત્યાં કેટલાક મહામુનિઓ હતા તેમને પણ વંદના કરી. સર્વેમાં જયેષ્ઠ મુનિએ તેને પૂછ્યું એટલે બંધુદતે સ્ત્રીનું મરણ અને વહાણને ભંગ ઈત્યાદિ પિતાનો સર્વ વૃત્તાંત મૂળથી માંડીને કહી સંભળાવ્યો. પછી મુનિએ તેને પ્રતિબંધ પમાડ્યો, એટલે પિતાનું અહીં આવવું સફળ થયું, એમ અનુમોદન કરતા બંધુદતે જિનધર્મને સ્વીકાર કર્યો. તે વખતે ત્યાં રહેલા ચિત્રાંગદ વિદ્યારે તેને કહ્યું કે “જૈનધર્મના સ્વીકારથી હવે તમે મારા સાધર્મિક થયા તે સારું થયું, હવે કહે તે હું તમને આકાશગામિની વિદ્યા આપું, કહો તે તમને ઈષ્ટ સ્થાને પહોંચાડું, અથવા કહે છે કે ઈ કન્યા પરણાવું.' બંધુદને કહ્યું કે “જે તમારી પાસે વિદ્યા છે, તે મારી જ છે અને જ્યાં આવા ગુરૂનાં દર્શન થાય છે તે સ્થાનજ મારે ઈષ્ટ છે. આ પ્રમાણે કહીને તે મૌન ધરી રહ્યો, એટલે વિદ્યારે વિચાર્યું કે “જરૂર આ બંધુદત્ત કન્યાને ઈચ્છે છે, કેમકે તે વાતને તેણે નિષેધ કર્યો નહિ, પરંતુ જે કન્યા આને પરણીને તરતમાં મૃત્યુ પામે તેમ ન હોય તે કન્યાને આ મહાત્મા સાથે પરણાવું.” આવો નિશ્ચય કરીને તે બંધુદત્તને પિતાને સ્થાનકે લઈ ગયો અને ઉચિત સ્નાન લેજનાદિકવડે તેની ભક્તિ કરી. પછી ચિત્રાંગદે પિતાના સર્વ ખેચરને પૂછ્યું કે “આ ભારતવર્ષમાં તમે કઈ એવી કન્યા દીઠી છે કે જે આ પુરૂષને ચગ્ય હોય?” તે સાંભળી તેના ભાઈ અંગદ વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા બેલી કે “હે પિતાજી! શું તમે મારી સખી પ્રિયદર્શનને નથી જાણતા? તે મારી સખી કૌશાંબીપુરીમાં રહે છે, સ્ત્રીરત્ન જેવી રૂપવંત છે અને જિનદત્ત શેઠની પુત્રી છે, હું પૂર્વે એકવાર તેની પાસે ગઈ હતી, તે વખતે કઈ મુનિએ તેને ઉદ્દેશીને કહ્યું હતું કે “આ પ્રિયદર્શના પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે.' આ વાક્ય મારા સાંભળવામાં આવ્યું હતું.” આ પ્રમાણે હકીક્ત સાંભળીને ચિત્રાંગદે બંધુદત્તને યોગ્ય પ્રિયદર્શન તેને અપાવવાને માટે અમિત ગતિ વિગેરે ખેચને આજ્ઞા કરી, એટલે તે ખેચર બંધુદત્તને લઈને કૌશાંબી નગરીએ ગયા. ત્યાં નગરની બહાર પાર્શ્વનાથના ચૈત્યથી વિભૂષિત એવા ઉધાનમાં નિવાસ કર્યો પછી બંધુદત્તે બેચરોની સાથે તે ચૈત્યમાં પ્રવેશ કર્યો, ત્યાં પાર્શ્વનાથ પ્રભુને અને મુનિઓને તેણે વંદના કરી. પછી તેમની પાસે ધર્મદેશના સાંભળી. એવામાં ત્યાં સાધર્મિપ્રિય એ જિનદત્ત શ્રેષ્ઠી આવ્યો. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy