SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૮૭ પાસેજ દીક્ષા લીધી. પછી સુર અસુરોએ સેવાતા અને સર્વ અતિશય વડે સંપૂર્ણ એવા પ્રભુએ પરિવાર સાથે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. નાગપુરમાં નાગૅદ્રની જેમ નાગપુરી નામની નગરીમાં યશસ્વીઓમાં અગ્રેસર સૂરતેજ નામે રાજા હતા. તે નગરીમાં ધનપતિ નામે એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો, તે રાજાને ઘણે પ્રિય હતું. તેને ઘેર સુંદરી નામે એક શીળવડે સુંદર સ્ત્રી હતી. પિતામહના નામ પ્રમાણે નામવાળે બંધુદત્ત નામે તેને એક વિનીત અને ગુણવાન પુત્ર હતું. તે અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયે. તે સમયે વત્સ નામના વિજયમાં કૌશાંબી નગરીને વિષે શત્રુઓનું માનભંગ કરનાર માનભંગ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં જિન ધર્મમાં તત્પર જિનદત્ત નામે એક ધનાઢય શ્રેષ્ઠી વસતે હતો. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેઓને પ્રિયદના નામે એક પુત્રી થઈ હતી. અંગદ નામના વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા નામે તેની સખી હતી, તે જનધર્મમાં લીન હતી. તે બને સખીઓ દેવપૂજા, ગુરૂની ઉપાસના અને ધર્માખ્યાન વિગેરે કૃત્ય વડેજ દિવસે નિર્ગમન કરતી હતી. એક વખતે કઈ સાધુ ગોચરીએ જતા હતા, તેમણે પ્રિયદર્શનાને ઉદ્દેશીને બીજા સાધુને કહ્યું કે “આ મહાત્મા સ્ત્રી પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે.” તે સાંભળી મૃગાંકલેખા હર્ષ પામી પણ તે વાર્તા તેણે કઈને કહી નહીં. અન્યદા ધનપતિ શ્રેષ્ઠીએ પિતાના પુત્રને માટે નાગપુરીનાજ રહેનાર વસુનંદ નામના શ્રેષ્ઠીની ચંદ્રલેખા નામની કન્યાની માગણી કરી. તેણે પિતાની પુત્રી તે શ્રેષ્ઠીપુત્રને આપી. પછી શુભ દિવસે મેટા ઉત્સવથી બંધુદત અને ચંદ્રલેખાને વિવાહ થયે. બીજે દિવસે હજુ જેને હાથ મંગળકંકણુથી અંકિત છે એવી તે ચંદ્રલેખાને રાત્રીએ સર્ષે આવીને કરડી, જેથી તે તત્કાળ મૃત્યુ પામી. આ પ્રમાણે કર્મના પરિણામથી અભાગી પુરૂષને વિવાહ કર્યા પછી બીજે દિવસે પરણેલી સ્ત્રી મરી જાય છે.” આ બનાવ બનવાથી “બંધુદત્તને હસ્તજ વિષમય છે? એ તેને માથે અપવાદ આવ્યું, તેથી ત્યાર પછી તેણે ઘણી કન્યાઓની માગણી કરી અને ઘણું દ્રવ્ય આપવા માંડયું છતાં તેને બીજી સ્ત્રી પ્રાપ્ત થઈ નહીં. એ પ્રમાણે સ્ત્રી રહિત હોવાથી “ી રહિત મારે આ સંપત્તિ શા કામની છે?”. એમ ચિંતા કરતે બંધુદન કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષય પામવા લાગ્યું. તેને દુર્બળ થતો જોઈને દુઃખી થયેલા ધનપતિ શેઠે વિચાર્યું કે “મારો પુત્ર આ ચિંતામાં મરી જશે, માટે તેને દુઃખનું વિસ્મરણ થવા માટે કઈ વ્યાપારમાં જેડી દઉં.” આ નિર્ણય કરીને ધનપતિ શ્રેષ્ઠીએ બંધુદત્તને બેલાવ્યું અને આજ્ઞા કરી કે “હે વત્સ! તું વ્યાપાર કરવાને માટે સિંહલદ્વીપે અથવા અન્ય દ્વીપે જા.” પિતાની આજ્ઞાથી બંધુદર ઘણું કરિયાણાં લઈ વહાણપર ચઢી સમુદ્ર ઉ૯લંઘીને સિંહલદ્વીપે આવ્યો. કીનારે ઉતરી સિંહલપતિ પાસે જઈ ઉત્તમ ભેટ ધરીને તેને રાજી કર્યો, એટલે સિંહલરાજાએ તેનું દાણ માફ કર્યું અને પ્રસન્ન થઈને તેને વિદાય કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy