SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪] શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ [૪૮૯ સવ ખેચર સહિત બંદરને પ્રાર્થના કરીને પિતાને ઘેર લઈ ગયા. પછી જિનદત્ત શેઠ બંધુદત્ત અને ખેચરોને ગૌરવતાથી સ્નાન, આસનાદિવડે સત્કાર કરીને તેમના આગમનનું કારણ પૂછ્યું. એટલે આ કામનુંજ પ્રોજન છે, પણ જે કામના અંગનું પ્રજન છે તે અનુત (અસત્ય) કહેવું પડે તેમ છે.” એ વિચાર કરીને તે ખેચર આ પ્રમાણે બેલ્યા“અમે તીર્થયાત્રાની ધારણા કરી રત્નપર્વતથી નીકળ્યા છીએ, પ્રથમ અમે ઉજજયંતગિરિ ગયા, ત્યાં નેમિનાથને વંદના કરી. ત્યાં આ બંધુદત્ત શ્રેષ્ઠીએ અમને સાધર્મિક જાણીને પિતાના બંધુની જેમ ભજનાદિકવડે અમારી ભક્તિ કરી. આ બંધુદત્ત ધાર્મિક, ઉદાર, તેમજ વૈરાગ્યવાન છે, એથી અમારે તેમની સાથે અધિક પ્રીતિ થઈ છે, અહીં પાર્વપ્રભુને વાંદવાને માટે અમે ઉજજયંત (ગિરિનાર) ગિરિથી આવ્યા છીએ, આ બંધુદત્ત પણ અમારા સનેહથી નિયંત્રિત થઈને અમારી સાથે આવેલ છે.” ખેચરોનાં આવાં વચન સાંભળી અને બંધુદત્તને નજરે જોઈ જિનદત્ત શેઠે ચિંતવ્યું કે “આ વર મારી પુત્રીને યોગ્ય છે.” પછી જિનદત્ત બેચરાને આગ્રહથી શક્યા અને બંધુદત્તને કહ્યું કે “મારી પુત્રીને પરણે. ' બંધુદને પરણવાની અનિચ્છાને ડેળ કરીને તે વાત સ્વીકારી. તે સમાચાર અમિતગતિએ ચિત્રાંગદને પહોંચાડ્યા એટલે ચિત્રાંગદ જાન લઈને ત્યાં આવ્યું. પછી જિનદત્ત બંધુદત્તની સાથે પિતાની પુત્રી પરણાવી. ચિત્રાંગદ બંધુદત્તને શિક્ષા આપીને પિતાને સ્થાનકે ગયે. બંધુદત્ત પ્રિયદર્શના સાથે ક્રીડા કરતે ત્યાં જ રહ્યો. તેણે ત્યાં શ્રી પાર્શ્વનાથની રથયાત્રા કરાવી. એવી રીતે ધર્મમાં તત્પર થઈ તેણે ત્યાં ચાર વર્ષ નિર્ગમન કર્યા. કેટલાક કાળ ગયા પછી પ્રિયદર્શનાએ ગર્ભ ધારણ કર્યો. તે વખતે તેણીએ સ્વપ્નમાં મુખકમળને વિષે પ્રવેશ કરતા એક હાથીને જોયો. બીજે દિવસે બંધુદત્તે પોતાના સ્થાન તરફ જવાને મને રથ પિતાની પત્નીને જણાવ્યું. તેણુએ પોતાના પિતા જિનદત્તને જણાવ્યું, એટલે કે ઘણી સંપત્તિ આપીને બંધુદને પ્રિયા સહિત વિદાય કર્યો. બંધુદતે “હું નાગપુરીએ જઈશ' એવી આષણા કરાવી, તેથી ઘણુ લકે તેની સાથે ચાલ્યા, તેઓને બંધુવત્ ગણીને તેણે આગળ કર્યા. સન્માર્ગના મહા પાંચ તુલ્ય બંધુદત્ત હળવે હળવે ચાલતે અનુક્રમે અનર્થના એક ગૃહરૂપ પદ્મ નામની અટવામાં આવ્યો. સાથેની રક્ષા કરતાં તેણે ત્રણ દિવસે તે અટવીનું ઉલ્લંઘન કરી એક સરેવરના તીર ઉપર આવી પડાવ કરાવ્યું. ત્યાં સાથે રાત્રીવાસો રહ્યો. તે રાત્રીના છેલ્લા પહેરે ચંડસેન નામના એક પલપતિની ધાડ પડી. પલીપતિના સુભટોએ સાર્થનું સર્વસવ લુંટી લઈ પ્રિયદર્શનને પણ હરી લઈને પિતાના સ્વામી ચંડસેનને સેંપી. દીન મુખવાળી પ્રિયદર્શનાને જોઈને તે ચંડસેનને પણ દયા આવી, તેથી તેણે ચિતવ્યું કે શું આ દીન સ્ત્રીને પાછી તેને ઠેકાણે પહોંચાડું' એવી ચિંતા કરતા તેણે ચૂતલતા નામની પ્રિયદર્શનાની દાસીને પૂછયું કે “આ ી કેની પ્રિયા છે? અને કોની પુત્રી છે? તે સર્વ વૃત્તાંત જણાવ.” દાસી એલી કે “કૌશાંબીમાં રહેનારા જિનદત્ત શેઠની આ પુત્રી છે અને તેનું નામ પ્રિયદર્શના છે.' c - 62 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy