SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું તેમ બ્રહ્મદત્ત નવતી સાથે રથમાં સુઈ ગયા. અનુક્રમે રાત્રી પ્રભાતરૂપ થઈ એટલે તેઓ એક નદી સમીપે આવ્યા. ત્યાં ઘોડાઓ શાંત થવાથી ઊભા રહ્યા અને કુમાર પણ જાગ્રત થયા. જાગીને જુએ છે તે રથના અગ્રભાગમાં મંત્રીકુમારને દીઠે નહીં, એટલે “તે જળ લેવાને ગયેલ હશે” એવું ધારી તેણે વારંવાર ઘણું બૂમ પાડી, પણ તેને પાછા જવાબ મળે નહીં અને રથના અગ્રભાગને પંકિલ જે, એટલે તે “અરે હું હણાઈ ગયે” એમ વિલાપ કરતે સતે રથમાં મૂછ ખાઈને પડ્યો. થોડીવારે સંજ્ઞા પામીને બે કે “અરે મિત્ર વરધનુ! તું ક્યાં ગયે ?' આ પ્રમાણે આક્રંદ કરતા બ્રહ્મદત્તને રત્નાવતી સમજાવવા લાગી-“હે નાથ! તમારા મિત્ર વરધનું મૃત્યુ પામ્યા નથી એમ નિશ્ચય થાય છે, માટે વાણુમાત્રથી પણ તેનું અમંગળ કરવું ઉચિત નથી. તે અવશ્ય તમારા કાર્યને માટે કઈ સ્થાનકે ગયેલ હશે, કેમકે ઉત્તમ મંત્રીઓ સવામીને પૂછયા વગર પણ સ્વામીના કાર્યને માટે જાય છે. તમારા ઉપરની ભક્તિથીજ રક્ષણ કરાયેલા જરૂર તે પાછા આવશે, કારણ કે સેવકને સ્વામીભક્તિને પ્રભાવ જ કવચરૂપ થાય છે.” વળી જ્યારે આપણે સ્થાનકે પહોંચશું, ત્યારે માણસ મોકલીને તેની ગવેષણ કરાવશું. હમણાં આ યમરાજની જેવા વનમાં વધારે રોકાવું એગ્ય નથી.” આવાં રત્નતીનાં વચનથી બ્રહ્મદત્ત અશ્વોને હંકાર્યા. થોડા વખતમાં મગધ દેશની ભૂમિના સીમાડાના ગામમાં આવ્યા. “અશ્વને અને પવનને શું કરે છે?” - તે ગામને નાયક સભા કરીને બેઠા હતા, તે બ્રહ્મદત્તને જોતાં જ તેને પિતાને ઘેર લઈ ગયે. “મહપુરૂષે અજાણ્યા હોય તો પણ માત્ર મૂર્તિનાં દર્શનથી જ પૂજાય છે.” ગ્રામાધિપે પૂછયું કે “તમે શેકગ્રસ્ત કેમ જણાઓ છે?” બ્રહ્મદત્તે કહ્યું કે “એક મારે મિત્ર ચાર લેકની સાથે યુદ્ધ કરતાં ક્યાંક ચાલ્યો ગયે છે.” ગ્રામાધિપે કહ્યું કે “સીતાની શોધ જેમ હનુમાન લાવ્યા હતા, તેમ હું તમારા મિત્રની શોધ લાવીશ.” આ પ્રમાણે કહીને તે ગ્રામાધીશ તે મહાટવીમાં સર્વત્ર ફરી વળે. પછી તેણે પાછા આવીને કહ્યું કે “આખા વનમાં કોઈ પણ મનુષ્ય જેવામાં આવ્યું નહીં, માત્ર પ્રહાર કરવાથી પડી ગયેલું આ એક બાણ મારે હાથ આવ્યું છે. તેનાં આવાં વચન સાંભળીને “જરૂર વરધનુ માર્યો ગયો” એમ ચિંતા કરતાં બ્રહ્મદત્તને શોકની જેવીજ અંધકાર યુક્ત રાત્રી પ્રાપ્ત થઈ. રાત્રીને ચોથે પહોરે ત્યાં ચાર આવ્યા, તેઓ કામદેવથી પ્રવાસીઓ જેમ સ્વસ્થાને જાય તેમ કુમારના બળથી ભગ્ન થઈને નાસી ગયા. બીજે દિવસે તે ગ્રામને લઈને કુમાર ત્યાંથી અનુક્રમે રાજગૃહીપુરીએ આવ્યા, ત્યાં રત્નપતીને નગરની બહાર તાપસના આશ્રમમાં રાખીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં પિસતાંજ એક હવેલીના ગોખમાં બેઠેલી જાણે સાક્ષાત રતિ અને પ્રીતિ હોય તેવી બે નવયૌવના સ્ત્રીઓ તેના જેવામાં આવી. તે સ્ત્રીઓ કુમારને જોતાં તરતજ બોલી કે “અરે ભદ્ર! તે વખતે પ્રેમી જનને છોડીને તમે ચાલ્યા ગયા તે શું તમને એગ્ય લાગે છે?” બ્રહ્મદત્ત બે કે “મારા પ્રેમીજન કોણ? મેં તેને ક્યારે ત્યાગ કર્યો? હું કોણ છું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy