SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે ]. શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર [૪૩૯ અને તમે બે પણ કોણ છે?” તે બેલી–“હે નાથ! પ્રસન્ન થાઓ, અહીં પધારે અને વિશ્રામ લે.” તેમનાં આવાં મધુર આલાપથી બ્રહ્મદત્ત મનની જેમ તેના ઘરમાં ગ, એટલે તેણીએ બ્રહ્મદત્તને ડીવાર બેઠા પછી સ્નાન ભજન કરાવ્યું. પછી તેઓએ પિતાની સત્ય કથા કહેવા માંડી. વિદ્યાધરોનું નિવાસસ્થાન, સુવર્ણમય શિલાએથી નિર્મળ અને જાણે પૃથ્વીનું તિલક હોય તે વૈતાઢય નામે પર્વત છે. તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામના નગરમાં અલકાપુરીમાં કુબેરની જેમ જવલનશિખ નામે રાજા છે. મેઘને વિધુતની જેમ તે વિદ્યાધરપતિ રાજાને કાંતિથી દિશાઓના મુખને પ્રકાશિત કરનારી વિચ્છિખા નામે પ્રિયા છે. તેમને નાટોન્મત્ત નામનો પુત્ર અને તેનાથી નાની ખંડા અને વિશાખા નામે અમે બે પ્રાણપ્રિય પુત્રીએ છીએ. એક વખતે પિતાના મહેલમાં અમારા પિતા તેમના અગ્નિશિખ નામના મિત્રની સાથે વાર્તાલાપ કરતા હતા, તેવામાં આકાશમાં અષ્ટાપદ ગિરિ ઉપર જતા દેવતાઓ તેમના જેવામાં આવ્યા, એટલે અમોને અને તેમના મિત્ર અગ્નિશિખાને લઈને તે તીર્થયાત્રા કરવા ચાલ્યા. “ઈટજનને જરૂર ધર્મકાર્યમાં જોડવા.” અમે અષ્ટાપદગિરિ પર પહોંચ્યા, એટલે ત્યાં મણિનિમિત, પિતપિતાના માન અને વર્ણ સહિત ચોવીશે તીર્થકરોની પ્રતિમાઓ દીઠી. પછી યથાવિધિ સ્નાન, વિલેપન અને પૂજા કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક અને સમાહિતપણે તેમની વંદના કરી. પછી અમે પ્રાસાદમાંથી નીકળીને આગળ ચાલ્યા, એટલે રક્ત અશેકવૃક્ષની નીચે મૂર્તિમાન તપ અને શમ હોય તેવા બે ચારણશ્રમણ મુનિને બેઠેલા યા. તેમને નમસ્કાર કરી તેમની આગળ બેસીને અજ્ઞાનરૂપી અંધકારને દવામાં કૌમુદી જેવી ધર્મદેશના શ્રદ્ધાપૂર્વક અમે સાંભળી. દેશનાને અંતે અગ્નિશિખે પૂછ્યું કે “આ છે કન્યાને પતિ કે શું થશે?' તેઓ બેલ્યા કે “જે તેમના ભાઈને મારી નાખશે, તે તેમને પતિ થશે.” આવી મુનિની વાણીથી હિમથી ચંદ્રની જેમ અમારા પિતા ગ્લાનિ પામી ગયા, એટલે અમે વૈરાગ્યગર્ભ વાણીએ કહ્યું કે “હે તાત! તમે હમણાં જ દેશનામાં સંસારની અસારતા વિષે સાંભળ્યું છે, તો હવે ખેદરૂપી શીકારીથી શા માટે પરાભવ પામો છો? વળી અમારે પણ એવા વિષયસુખની જરૂર નથી.' એમ કહીને અમે ત્યાંથી અમારા સહોદર બંધુની રક્ષામાં નિરંતર તત્પર રહ્યા. એક વખત અમારા ભાઈ એ ફરતા ફરતા તમારા મામા પુષ્પસૂલની કન્યા પુષ્પવતીને જોઈ તેના અદ્ભુત લાવયવાળા રૂપથી તેનું મન હરાયું, તેથી તે દુબુદ્ધિએ તેનું હરણ કર્યું. શુદ્ધિઃ કર્માનુસારિળી.” પુષ્પવતીને હરણ કરી લાવ્યા છતાં તે તેણીની દષ્ટિને સહન કરી શક્યો નહીં એટલે પિતે વિદ્યા સાધવાને ગ. ત્યારપછીની વાર્તા તમે પિતેજ વસ્તુતઃ જાણે છે. પછી પુષ્પવતીએ અમારી પાસે આવી તે અમારા ભાઈના મૃત્યુના ખબર અમને કહ્યા, અને * ચંદ્રિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy