SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સગ પ મ ] પૃથ્વીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ સુપાર્શ્વનાથ પ્રભુ (૪૯ જેમ વાચકોથી પરાફમુખ થતે નહીં તેમ રણભૂમિમાં શત્રુઓની સામે પણ કદાપિ પરમુખ થતે નહીં. મોટી ભુજાવાળા એ રાજાને જન્મથી જ કોઈની સહાય ન હતી, તે પણ સર્વ પૃથ્વીને ક્રિીડાકમળની જેમ લીલામાત્રથી તે ધારણ કરતો હતે. તે પૃથ્વી પતિને જાણે જગમ પૃથ્વી હોય તેમ સ્થિરતાદિક ગુણના પાત્રરૂપ પૃથ્વી નામે રાણી હતી. એ રાણીને શીળ અને રૂપ એ બે નિત્ય આભૂષણપણાને પામેલાં હતાં, અને બહારનાં આભૂષણે તે ફક્ત ભ્રષ્યતાને જ પામેલાં હતાં. તામ્રપણું નદીમાં મતીના દાણાની જેમ એ રાણીમાં સ્વભાવથીજ નિર્મળતાવાળા અનેક ગુણે ઉત્પન્ન થયેલા હતા. એ રાજયુવતિનું રૂ૫ લાવાયરૂપ જળથી અને મુખ, નેત્ર, હાથ તથા પગ રૂપ કમળાથી લક્ષમીદેવીના નિવાસરૂપ પવહ હેય તેવું શોભતું હતું. એ પૃથ્વીદેવી તીર્થકરની માતા થવાનાં છે, તેથી ભવિષ્ય કાળમાં તે તેમનું દાસીપણું થવાનું જ હતું, તથાપિ આ મહાદેવીના રૂપથી પરાજય પામેલી દેવાંગનાએ અત્યારથી જ તેમની દાસીઓ થઈને રહેલી હતી. આ તરફ નંદીષેણ રાજાને જીવ જે છઠ્ઠા રૈવેયકમાં રહ્યો હતો તેણે પિતાનું અડયાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવીને ભાદ્રપદ માસની કૃષ્ણ અષ્ટમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં, તે પૃથ્વીદેવીની કુક્ષીમાં અવતર્યો. સુખે સુતેલા પૃથ્વીદેવીએ રાત્રીના શેષભાગમાં તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. એ ગર્ભ વૃદ્ધિ પાચ્ચે સત તેમણે એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા ઉપર પિતાના આત્માને સુતેલે જોયે. અનુક્રમે જયેષ્ઠ માસની શુકલ દ્વાદશીએ ચંદ્ર વિશાખા નક્ષત્ર ઉપર આવતાં સ્વસ્તિકના ચિન્હવાળા એક સુવર્ણવણ પુત્રને તેમણે સુખે જન્મ આપ્યો. તરતજ અવધિજ્ઞાનથી અહં તને જન્મ જાણીને છપ્પન દિકુમારીઓએ આવી સુતિકાકર્મ કર્યું. તેવી જ રીતે શક ઇંદ્ર પણ ત્યાં આવીને પ્રભુને મેરૂ પર્વતના મસ્તક ઉપર રહેલી અતિ પાંડુકબલા નામની શિલા ઉપર લઈ ગયા. ત્યાં બાળભાવની જેમ પ્રભુને ઉત્સંગમાં રાખી ઇંદ્ર રત્નના સિંહાસન ઉપર બેઠા. પછી સમુદ્રની વેલાઓ તટ ઉપર રહેલા પર્વતને જેમ સ્નાન કરાવે તેમ ત્રેસઠ ઇદ્રોએ તીર્થજળથી અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇંદ્રના ઉસંગમાં પ્રભુને બેસાડી ફટિકમય વૃષભના સંગમાંથી નીકળતી જળ ધારાથી ધારાયંત્રના જળની પેઠે શકઇદ્ર અભિષેક કર્યો. પછી વિલેપન તથા વા અલંકારાદિક વડે પૂજા કરીને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવાને તેણે આરંભ કર્યો. હે પ્રભુ! જેનું સ્વરૂપ અવિય છે એવા તમારે વિષે અર્થવાદ કરવાનો આગ્રહ જે “હું ધારું છું તે આદિત્યમંડળને ગ્રહણ કરવાને કપિએ ફળ માર્યા જેવું છે; તથાપિ હે પરમેશ્વર! તમારા પ્રભાવથી હું તમારી સ્તુતિ કરીશ; કારણકે ચંદ્રકાંત મણિ ચંદ્રની કાંતિના ૧ તમારું સ્વરૂપ વર્ણવવાનો. B - 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy