SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) પ્રભુની દેશના પર્વ ૩ જુ. ત્રણ લાખ સાધુએ, છ લાખ ને ત્રીશ હજાર સાધ્વીઓ, નવ હજાર ને આઠસો અવધિજ્ઞાનીઓ, એક હજાર ને પાંચસે ચૌદપૂવી, અગીયાર હજાર છસે ને પચાસ મન:પર્યવજ્ઞાની, ચેક હજાર વાર લબ્ધિવાળા, બે લાખ ને અડ્યાસી હજાર શ્રાવકો અને પાંચ લાખ ને સત્યાવીશ હજાર શ્રાવિકાઓ–આટલે પરિવાર પ્રભુને પૃથ્વી પર વિહાર કરતાં કરતાં થયે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આઠ પૂર્વાગ અને અઢાર વર્ષે ઉણ લાખ પૂર્વ વ્યતીત થયે સતે પિતાને નિર્વાણ કાળ સમીપ જાણીને પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં ઈંદ્ર સહિત દેવતાઓ અને રાજાઓએ સેવેલા પ્રભુએ એક હજાર મુનિઓની સાથે એક માસનું અનશન ગ્રહણ કર્યું. પછી ભપગ્રાહી કર્મને ભેદનારા એવા શૈલેશી ધ્યાનપર આરૂઢ થઈ અનંત ચતુષ્કને સિદ્ધ કરી ભગવાન અભિનંદન પ્રભુ વૈશાખમાસની શુકલ અષ્ટમીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં એક સહસ્ત્ર મુનિએ સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા. કુમાર અવસ્થામાં, સાડાબાર લાખ પૂર્વ, રાજ્યમાં આઠ પૂર્વાગ સહિત સાડી છત્રીસ લાખ પૂર્વ અને દીક્ષામાં આઠ પુર્વાગે ઉણું એક લાખ પૂર્વ—એકંદર પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું. સંભવનાથસ્વામીના નિર્વાણ પછી દશ લાખ કરોડ સાગરોપમ વીત્યા ત્યારે અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા. શ્રી અભિનંદન સ્વામીએ કાળ કર્યા પછી સુરઅસુરોએ તેમને અને બીજા મુનિઓને અંગસંસ્કાર કર્યો અને પ્રભુની દાઢ અને અસ્થિ તેઓ પૂજનને માટે લઈ ગયા. પછી તેઓ નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અતના બિંબને, અષ્ટાબ્લિક ઉત્સવ કરી પોતપોતાના દેવલોકમાં ગયા, અને નિર્વાણ સ્થાનકે આવેલા રાજાએ પિતાપિતાની રાજધાનીમાં ગયા. इत्याचार्य श्री हेमचन्द्रविरचिते त्रिषष्ठिशलाकापुरूषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्री अभिनंदनस्वामि चरितवर्णनो नाम द्वितीयः सर्गः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy