SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જે. પ્રભુની દેશના. (૨૫) સપાટામાં આવે છે તે મૃત્યુને પણ પીડા કરનાર એવો કયે પુરૂષ શરણેચ્છુ જનેને શરણ કરવા લાયક છે? અહા ! આ સંસારમાં પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્ર જોઈ રહે છે અને રક્ષણ વગરના આ જીવને તેનાં કર્મો યમરાજના ગૃહમાં દેરીને લઈ જાય છે. મૂઢબુદ્ધિવાળા પુરૂષે પોતાના કર્મોથી મૃત્યુને પામતા એવા સ્વજનને જોઈ શક કરે છે, પણ તેઓ “પોતાના આત્માને પણ કર્મો તેવીજ રીતે લઈ જશે એમ શેક કરતા નથી, મેટા ભયંકર જંગલમાં મૃગના બચ્ચાની જેમ દુઃખરૂપી દાવાનળની પ્રજવલિત જ્વાળાએથી વિકરાળ એવા આ સંસારમાં પ્રાણીને કોઈ પણું શરણભૂત નથી. અષ્ટાંગ આયુર્વેદથી, સંજીવિની ઔષધિઓથી અને મૃત્યુંજયાદિક મંત્રોવડે પણ મૃત્યુથી રક્ષણ થતું નથી. ખરૂગના પાંજરાના મધ્ય ભાગમાં રહેલા અને ચતુરંગ એનાથી વિંટાયેલા મેટા રાજાને પણ યમરાજના કિંકર રાંકની પેઠે હઠથી ખેંચી જાય છે. જેમ પશુઓ મૃત્યુથી બચવાને ઉપાય જાણતા નથી તેમ વિદ્વાનો પણ જાણતા નથી, એ કેવી મૂઢતા કહેવાય? જેઓ ખગ માત્રના સાધનથી પૃથ્વીને નિષ્કટક કરે છે, તેઓ યમરાજની ભ્રકુટિથી ભય પામીને મુખમાં આંગળીઓ ઘાલે છે, એ કેવી વિચિત્ર વાર્તા ! પાપ રહિત મુનિઓના ખગની ધારા જેવા વ્રતો પણ મૃત્યુને ઉપાય કરી શકતા નથી. અહા ! શરણવિનાન. રાજા વિનાનું, નાયક વિનાનું અને ઉપાય વગરનું નું આ જગત યમરાજરૂપી રાક્ષસથી ગળી જવાય છે. ! જે ધર્મ રૂપ ઉપાય છે તે પણ મૃત્યુની સામે ચાલતું નથી, પણ તે ઉપાય શુભ ગતિને આપનાર ગણાય છે; તેથી પ્રવજ્યા રૂપ ઉપાયને ગ્રહણ કરીને જેમાં અક્ષય સુખ છે એવા મેક્ષને માટેજ પ્રયત્ન કરવા યોગ્ય છે.” આવી પ્રભુની દેશનાથી અનેક નરનારીઓએ તત્કાળ દીક્ષા લીધી અને વજનાભ વિગેરે એકસે ને સોળ ગણધરો થયા. તેમને વિધિ પ્રમાણે અનુગ અને ગણુની અનુજ્ઞા આ પીને પ્રભુએ શિક્ષારૂપ ધર્મદેશના આપી. પછી પ્રભુએ જન્મ વ્યય અને ધ્રુવમય ત્રિપદી તેએને કહી બતાવી. તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી રાજાએ બલિ મંગાવી. તેને ઉડાડી દેવતા, રાજા અને મનુષ્ય અનુક્રમે લઈ ગયા. પછી જગત્પતિ ત્યાંથી ઉઠીને વચલા કિલ્લામાં આવી ઇશાન દિશામાં રહેલા દેવજીંદા ઉપર વિરાજમાન થયા. પછી પ્રભુના ચરણુપીઠ ઉપર બેસીને વજન નાભ, ગણધર કે જેઓને લોકેએ કેવળી જેવા જાણેલા હતા અને જે શ્રુતકેવળી હતા તેમણે દેશના આપવા માંડી. જ્યારે બીજી પૈરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે દેશના સમાપ્ત કરી, તે વખતે દેવતા વિગેરે સર્વે પ્રભુને નમસ્કાર કરી પિતપોતાને સ્થાનકે ગયા. તેમના તીર્થમાં શાસનદેવતા તરીકે શ્યામ કાંતિવાળો, હાથીના વાહન ઉપર બેસનાર, બે દક્ષિણ ભુજાઓમાં બીજેરૂં અને અક્ષસૂત્ર ધારણ કરનાર અને બે વામ ભુજાઓમાં નકુલ અને અંકુશને રાખનાર યક્ષેશ્વર નામને યક્ષ થયે, કે જે હમેશાં પ્રભુની પાસે સેવામાં તત્પર રહેતે હતે; અને શ્યામ વર્ણવાળી, કમળના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાશને ધારણ કરનારી અને બે વામણુજામાં નાગ અને અંકુશ ધારણ કરનારી કાલિકા નામે એક નિત્ય પ્રભુની પાસે રહેનારી શાસનદેવતા થઈ. ચેત્રીશ અતિશયેએ યુક્ત એવા પ્રભુ ગ્રામ, આકર અને નગર વિગેરેમાં પ્રાણીઓને બોધ કરતા વિહાર કરવા લાગ્યા. B - 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy