SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ ] સુભૂમીકીએ એકવીશવાર કરેલ નિષ્ક્રાણી પૃથ્વી [૩૨૯ તેને તારા નામે વિશાળ લેનવાળી એક રાણી હતી. તે દંપતી દેવતાની જેમ નિર્વિદને ભોગ ભેગવવા લાગ્યા. ભૂપાલ રાજાને જીવ મહાશુક્ર દેવલેકમાં પિતાનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને તારારાણીની કુક્ષિમાં અવતર્યો. એક વખતે કૃતવીર્ય માતાના મુખથી પિતાના મૃત્યુની વાર્તા સાંભળીને આદેશ કરેલા સર્ષની જેમ તાપસીના આશ્રમમાં જઈ જમદગ્નિને મારી નાખે. પિતાના વધથી ક્રોધ પામેલા પરશુરામે શીધ્ર હસ્તિનાપુરમાં જઈ કૃતવીર્યને માર્યો. યમરાજને શું દૂર છે?” તેના રાજ્યપર પરશુરામ સ્વયમેવ પોતે બેઠે. “રાજય પરાક્રમને આધીન છે, તેમાં ક્રમાક્રમ જેવાતું નથી. જ્યારે પરશુરામે રાજ્ય દબાવ્યું, ત્યારે તે નગરમાંથી કૃતવીર્યની સ્ત્રી તારા જે ગર્ભિણી હતી તે વ્યાઘવાળા વનમાંથી મૃગલીની જેમ કેઈ તાપસના આશ્રમમાં નાસી આવી. કૃપાળુ તાપસેએ તેને નિધાનની પેઠે ભૂમિગ્રહ (યરા) માં ગુપ્ત રાખીને ક્રૂર પરશુરામથી બચાવી લીધી. ત્યાં ચૌદ મહાસ્વપ્નએ સૂચિત એ તે રાણીએ પુત્ર પ્રસ. તેણે ભૂમિગ્રહમાં જન્મ લીધો, તેથી તેનું સુમ એવું નામ પાડયું. હવે જ્યાં જ્યાં ક્ષત્રિય હતા ત્યાં ત્યાં પરશુરામની પરશુ મૂર્તિમાન કે પાગ્નિ હોય તેમ પ્રદીપ્ત થતી હતી. એક વખતે પરશુરામ ફરતે ફરતે આશ્રમમાં આવી ચડ્યો, ત્યાં પ્રદીપ્ત થયેલી પરશુએ ધૂમ અગ્નિને જણાવે તેમ “અહીં કોઈ ક્ષત્રિય છે એમ સૂચવી દીધું. પરશુરામે તાપસીને પૂછયું કે “શું અહીં કેઈ ક્ષત્રિય છે?” તાપસે બેલ્યા- “અમે તાપસરૂપે થયેલા ક્ષત્રિયે છીએ.” પછી પરશુરામે ક્રોધથી દાવાનળ જેમ પર્વતના તટને તૃણ રહિત કરે તેમ પૃથ્વીને સાત વાર નક્ષત્રિયા કરી અને હણેલા ક્ષત્રિયોની દાઢેથી વાંચ્છિતપૂર્ણ યમરાજના પૂર્ણપાત્રની શેભા આપતે એક થાળ ભરી દીધો. એક વખતે પરશુરામે કઈ નિમિત્તિયાને પૂછયું કે “મારે વધ કેનાથી થશે?” “સદા વૈર કરનારા પુરૂષ બીજાથી પિતાની શંકા કર્યા જ કરે છે. તે સાંભળી નિમિત્તિ બોલ્યો કે જે પુરૂષ સિંહાસન ઉપર બેસીને ક્ષીરરૂપ થઈ ગયેલી આ દાઢનું ભક્ષણ કરશે તેનાથી તમારે વધ થશે.” તે સાંભળી પરશુરામે ત્યાં એક અવારિત દાનશાળા કરાવી અને તેની આગળ એક સિંહાસન મૂકાવી તેની ઉપર દાઢને થાળ રખા. હવે તાપસેના આશ્રમમાં કૃતવીર્યની આથી જે સુભૂમ નામે પુત્ર ઉત્પન્ન થયું હતું, તે આંગણામાં ઉગેલા વૃક્ષની જેમ વૃદ્ધિ પામી સુવર્ણવણ અને અઠ્ઠાવીશ ધનુષ્ય ઉંચી કાયાવાળે થયો. વૈતાઢયપર રહેનારા મેઘનાદ વિદ્યારે એક વખતે નિમિત્તિયાને પૂછયું કે “મારી પશ્રી નામે કન્યા હું કોને આપું?” તેએાએ તેને યોગ્ય વર સુલૂમ છે એમ કહ્યું, એટલે તેણે ત્યાં આવી સુભૂમને કન્યા પરણાવીને પિતે તેને સેવક થઈને રહ્યો, એક વખતે કુવાના દેડકાની જેમ ભૂમિગ્રહમાં રહેલા જેની સમાન કેઈ રાજ નથી એવા સુબ્રમે પોતાની માતાને પૂછયું-“શું આ લેક આટલે જ છે કે આથી અધિક છે?” માતાએ કહ્યું-“વત્સ! આ લેક B - 42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy