SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨] વિરભદ્રને વૃત્તાંત પછી વીરભદ્ર શંખ શેઠને ઘેર સુખે રહીને પિતાની કળાવિજ્ઞાનની કુશળતાથી નગરજનોને વિસ્મય પમાડવા લાગ્યો. ત્યાંના રાજા રત્નાકરને સર્વ વિAવમાં સુંદર અનંગસુંદરી નામે એક પુરૂષàષિણી પુત્રી હતી. તેની પાસે શંખશેઠની વિનયના સ્થાન જેવી વિનયવતી નામની પુત્રી પ્રતિદિન જતી હતી. એકદા વિનયવતીને વીરભદ્રે પૂછ્યું કે “બહેન! તમે નિત્ય કયાં જાઓ છો ?' એટલે વિનયવતીએ બ્રાહુનેહથી જે યથાર્થ હતું તે કહી આપ્યું. વીરભદ્ર પૂછયું-બહેન! તારી સખી કેવા વિદથી પિતાને કાળ નિર્ગમન કરે છે?” વિનયવતી બેલીવિણા વિગેરે વાજિંત્રોના વિદથી. વીરભદ્ર બેલ્ય-“ ત્યારે હું ત્યાં આવીશ.” વિનયવતીએ કહ્યું -“એક નાના બાળક પુરૂષને પ્રવેશ પણ ત્યાં થતું નથી તે તમારે પ્રવેશ ત્યાં શી રીતે થાય ?' વીરભદ્રે કહ્યું–‘હું વધૂનું સ્વરૂપ ધારણ કરીશ.” પછી વિનયવતીની તેમાં સંમતિ થઈ એટલે વીરભદ્ર આવેષ ગ્રહણ કર્યો. તેવી રીતે અંતઃપુરમાં જતાં અનંગસુંદરીએ પૂછયુંસખી ! આ તારી સાથે બીજી સ્ત્રી કેશુ છે?” વિનયવતી બોલી–“એ મારી બહેન છે.” પછી અનંગસુંદરીએ નવીન સુંદર વર્ણથી એક ફલક ઉપર વિરહપીડિત હંસલી ચિતરવા માંડી. તે વખતે સ્ત્રીરૂપ વીરભદ્રે કહ્યું-“તમે વિરહપીડિત હંસલીને ચિતરવાનો આરંભ કર્યો છે, પણ તેની દ્રષ્ટિ વિગેરે બરાબર જોઈએ તેવી થતી નથી.” “ત્યારે , આ ચિત્ર તમે આળે.” એમ કહી અનંગસુંદરીએ વિવિધ વર્ણ સાથે તે ફલક (પાટીયું) વીરભદ્રને આપ્યું એટલે વીરભદ્રે તત્કાળ બરાબર તાદ્રશ હંસલી આળખીને અનંગસુદરીને આપી. તેને બરાબર નીરખી જઈને અનંગસુંદરી બોલી-“અહો! અંદરના ભાવને પ્રકાશ કરે તેવી આ ચિત્રમાં કુશળતા ઘણી સારી વાપરી છે. જુઓ, આ તેની દ્રષ્ટિ અબુજળના બિંદુને વષી રહી છે, વદન ગ્લાનિ પામેલું છે, ચંચુ કમળનાળને શિથિલપણે રાખી રહેલ છે, ગ્રીવા શિથિલ થઈ ગઈ છે અને પાંખે ઉડવાને અસમર્થ લાગે છે. આ શૂન્ય સ્થિતિ કહ્યા વગરજ તેની વિરહઅવસ્થાને સ્પષ્ટ રીતે સૂચવે છે.” પછી અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું-સખિ ! આવી કળા જાણનારી આ તારી બહેનને તું આટલા વખત સુધી અહીં કેમ લાવી ન હતી? ઘરમાં ગુપ્ત રીતે શા માટે રાખી હતી ?” વીરભદ્રે કહ્યું-“ગુરૂજનની શંકાને લીધે મારી બહેન મને અહીં લાવતાં નહીં. તે વિના બીજુ કાંઈ કારણ નથી.” અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું–હવે પ્રતિદિન તમારી બહેનને તમારે સાથે લઈને આવવું. હે સુંદરી! આનું નામ શું છે?” વીરભદ્ર સત્વર બે કે “મારૂં નામ વીરમતી છે. રાજપુત્રીએ ફરીથી પૂછ્યું-“તમે બીજી કઈ કળા જાણે છે?” વિનયવતી બેલી-થોડા કાળમાં જે હશે તે તમારા જાણવામાં આવશે. બીજાના માત્ર કહેલા અદૂભુત ગુણમાં તત્કાળ પ્રતીતિ થતી નથી.” “ તું” એમ કહી અનંગસુંદરીએ ખુશી થઈ સત્કાર કરીને વિનયવતી અને વીરમતીને વિદાય કરી. ઘેર આવી વેષ બદલી પિતૃભક્તિમાં બંધાયેલો વીરભદ્ર શેઠની દુકાને ગયો. શેઠે પૂછ્યું વત્સ! આટલીવાર કયાં રહ્યો હતો? અહીં તારે માટે પૂછનારા પુરૂષોને ઉત્તર આપીને હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy