SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮] મેઘરથની પારેવા ઉપરની અપૂર્વ કરૂણા [ પ પ મું ઘરથ સ્વામીની પાસે વ્રત લઈ તપસ્યા કરીને સિદ્ધિપદને પ્રાપ્ત થયા. રાજા મેઘરથે પરિવાર સહિત દેવરમણ ઉદ્યાનમાંથી પાછા આવી પુંડરીકિણી નગરીમાં પ્રવેશ કર્યો. એક વખતે વિદ્વાનેમાં મુખ્ય એવા મેઘરથે પૌષધાગારમાં પૌષધ અંગીકાર કરી શ્રી ભગવંતભાષિત ધર્મનું વ્યાખ્યાન કરવા માંડયું. તે વખતે ભયથી કંપતું અને મરણોન્મુખ હેય તેમ દીન દ્રષ્ટિ ફેરવતું એક પારાવતી પક્ષી તેના ઉત્કંગમાં આવીને પડ્યું. તેણે માનુષા ભાષાથી અભયની યાચના કરી, એટલે રાજાએ કહ્યું કે “ભય પામીશ નહીં, ભય પામીશ નહીં,” એવાં આશ્વાસનથી તે પક્ષી પિતાના ઉસંગમાં બાળકની જેમ એ કારૂણ્યસાગર રાજાના ઉત્સગમાં સ્વસ્થ થઈને બેઠું. થોડી વારે “હે રાજન! એ મારું ભક્ષ્ય છે, માટે સત્વર તેને છેડી ઘો.” આ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી સર્પની પાછળ ગરૂડની જેમ તેની પાછળ આવ્યું. રાજાએ બાજ પક્ષીને કહ્યું “તને આ પક્ષી હું આપીશ નહીં, કારણ કે શરણાથીને સોંપી દેવે તે ક્ષત્રિયોને ધર્મ નથી. વળી અરે પક્ષી ! તારા જેવા બુદ્ધિમાનને બીજાના પ્રાણથી પિતાના પ્રાણનું પિષણ કરવું તે પણ ઉચિત નથી. તારા શરીર ઉપરથી એક પીછું ઉખેડીએ તે તેથી તેને જેવી પીડા થાય તેવી પીડા બીજાને પણ થાય છે, તે મારી નાંખવાથી તે કેટલી પીડા થાય તેને હું વિચાર કર. વળી આ પક્ષીના ભક્ષણથી તને તે માત્ર ક્ષણવાર તૃપ્તિ થશે અને આ બીચારા પક્ષીને તે આખા જન્મને વિનાશ થઈ જશે. પંચેંદ્રિય પ્રાણીએને વધ કરવાથી અને તેના માંસનું ભક્ષણ કરવાથી પ્રાણુઓ નરકે જાય છે, અને ત્યાં દુઃસહ પીડા ભેગવે છે. જે પરલેકમાં અનંત દુઃખને માટે અને આ લેકમાં મત્રા ક્ષણવાર સુખને માટે થાય તેવી પ્રાણીની હિંસા કર્યો વિવેકી પુરૂષ ક્ષુધાતુર હોય તે પણ કરે? બીજા ભેજનથી પણ સુધા તો શાંત થાય છે. જે પિત્તાગ્નિ સાકરથી સમે છે તે દૂધથી કેમ શાંત ન થાય! વળી જીવહિંસાથી પ્રાપ્ત થયેલી નરકની વ્યથા સહન કર્યા વગર કેઈપણ પ્રકારે શાંત થતી નથી, માટે હે પક્ષી! તું પ્રાવધ છેડી દે અને ધર્મનું આચરણ કરવું જેથી ભવભવ સુખ પામીશ, આ વિષે તું સ્વયમેવ વિચાર કર.” બાજપક્ષી મનુષ્યભાષાથી રાજા પ્રત્યે બે-“હે રાજા ! આ કપોત મારા ભયથી તમારે શરણે આવ્યું છે, તેમ હું પણ સુધાથી પીડિત છું, તે કોને શરણે જાઉં તે કહે. કરૂણાધનવાળા મહાપુરૂષે સર્વને અનુકૂળ હોય છે. હે નૃપતિ! જેવી રીતે આ પારાવતનું રક્ષણ કરે છે તેવી રીતે મારું પણ રક્ષણ કરે; ક્ષુધાથી પીડિત એવા મારા આ પ્રાણ ચાલ્યા જાય છે. જ્યારે પ્રાણ સ્વસ્થ હોય ત્યારે જ ધર્માધર્મને વિચાર કરે છે. ધર્મપ્રિય પુરૂષ પણ ક્ષુધાતુર થાય ત્યારે શું પાપ નથી, કરતે? માટે હવે ધર્મની વાર્તાથી સર્યું. મારા ભક્ષ્યરૂપ આ પક્ષી જ મને આપો. એકને માર અને એકને બચાવ, એ કે ધર્મ કહેવાય! હે મહીપાળ! પિતાની જાતે મારેલા પ્રાણીના તાજા માંસથીજ મારી તૃપ્તિ થાય છે, બીજા ભેજનથી થતી નથી. હું માંસનેજ ખાનારે છું.” રાજા બોલ્યા- “અરે પક્ષી ! સાવધાન થા, મૃત્યુ પામીશ નહીં. આ કતિની સાથે તેળીને હું મારા ૧ પારેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy