SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ થે] સિંહરથનું વૃત્તાંત ૨૬૭ મૂક્યો. મેં છેડડ્યા પછી તે આવા વિવિધ રૂપ વિકુવી મારી પાસે સંગીત કરવા લાગે.” પ્રિય મિત્રાએ ફરીવાર પૂછયું–પ્રિય! પૂર્વ ભવમાં એણે શું શુભ કર્મ કર્યું છે, જેથી તેને આવી મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે?” મેઘરથ બેલ્યા–“પુષ્કરાઈ દ્વીપમાં પૂર્વ ભરતક્ષેત્રને વિષે સંઘપુર નામે એક મોટું નગર છે. તે નગરમાં રાજ્યગુપ્ત નામે એક ગરીબ કુલપુત્ર રહેતે હતો. તે પારકાં કામ કરીને પિતાનો ભજન નિવાહ ચલાવતો હતે. તેને શંખિકા નામે એક અનુરાગી અને પતિભક્તા સ્ત્રી હતી. બંને દંપતી હમેશાં પારકાં ઘરનાં કામ કરતાં હતાં. એક દિવસે તે સ્ત્રી પુરૂષ એકઠાં મળીને ફળ લેવાને માટે વિવિધ વૃક્ષેથી આકુળ સંઘગિરિ નામના મોટા પર્વત પર ગયાં. ત્યાં પકવ ફળને માટે તેઓ ફરતાં હતાં, તેવામાં સર્વગુણ નામે એક મહામુનિને દેશના આપતાં તેમણે જયાં. વિદ્યાધરોની સભા વચ્ચે બેઠેલા તે મહાત્માની પાસે આવી તેઓ ભક્તિથી નમસ્કાર કહીને બેઠા. મુનીશ્વરે તેમને વિશેષ ધર્મ દેશના આપી. રખીની ઉપર મહાન પુરૂષોનું અધિક વાત્સલ્ય હોય છે. દેશનાને અંતે તે બેલ્યા–“હે પ્રભુ! અમે પાપી છીએ તે છતાં અમારું કોઈકે પૂર્વ પુણ્ય હશે, કે જેથી અમને તમારું દર્શન થયું. હે જગપૂજ્ય! તમે સર્વ વિશ્વના હિતકારી છે, તથાપિ પીડાને લીધે અમે તમારી પ્રાર્થના કરીએ છીએ કે અમારા ઉદ્ધારને માટે કાંઈ પણ તપ બતાવે. તેમની ગ્યતા જોઈ મહામુનિ સર્વગુપ્ત “બત્રીશ કલ્યાણક નામે એક તપે તેમને બતાવ્યો. તે તપ અંગીકાર કરી તેઓ પિતાને ઘરે આવ્યા. તેઓએ બત્રીસ દિવસે બત્રીશ ઉપવાસ કરવા વડે તે તપ કર્યો. પારણાને સમયે દ્વાર ઉપર-દ્રષ્ટિ કરીને કઈ અતિથિ મુનિની શેધ કરવા માંડી. તેવામાં ધતિધર નામે એક સાધુને પિતાના ઘરમાં પ્રવેશ કરતા તેમણે જોયા. તેમને બન્ને જણે ભક્તિથી ભાત પાછું વડે પ્રતિલાભિત કર્યા. અન્યદા પેલા સર્વગુણ મુનિ વિહાર કરતાં કરતાં પુનઃ ત્યાં આવી ચડ્યા. એટલે તેઓ તેમની પાસે આવી ધર્મ સાંભળવા લાગ્યા. દેશનાને પ્રાંતે એ વિવેક પરાયણ સ્ત્રીભત્તરે મનુષ્ય જન્મરૂપ વૃક્ષના ફળરૂપ દીક્ષા ગ્રહણ કરી. પછી રાજગુપ્ત મુનિએ ગુરૂની આજ્ઞાથી આચામ્યવદ્ધમાન નામે દુસ્તપ તપ કરવા માંડ્યો. છેવટે અનશન કરી ચાર શરણનો આશ્રય લઈ મૃત્યુ પામીને બ્રહાદેવલેકમાં દશ સાગરોપમને આયુષે દેવતા થયા. ત્યાંથી ચ્યવીને વિદ્યુદ્ધર રાજાને પુત્ર વિદ્યાધરપતિ આ સિંહરથ થયેલ છે. તેની સ્ત્રી શખિકા હતી, તે પણ વિવિધ તપસ્યા કરીને બ્રહ્મલેકમાં દેવતા થઈ હતી, ત્યાંથી થવી અહીં તેની પત્ની થયેલી છે. હવે અહીંથી પિતાને નગરે જઈ પુત્રને રાજ્ય સેપી તે સદ્દબુદ્ધિમાન પુરૂષ મારા પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરશે, અને તપ ધ્યાનાદિકથી આઠ કમને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિપદને પામશે.” આવાં તેમનાં વચન સાંભળી મેઘરથને ભક્તિથી નમસ્કાર કરી રાજા સિંહરથ પિતાને નગરે ગયો અને પુત્રને રાજ્ય સોંપી મનને દમનાર તે સિંહરથ રાજા શ્રી ૧ એક આંબેલ ને એક ઉપવાસથી અનુક્રમે ૧૦૦ અબેલ ને એક ઉપવાસ કરવો તેનું નામ અબીલ વદ્ધમાન તપ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy