SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧૧ સિગ ૧ ] અનંતમતિકા વેશ્યાના પૂર્વભવને વૃત્તાંત સાંભળી સત્યભામાએ ઉકટ થઈને કહ્યું કે “ જે તે મને છોડશે નહીં તો હું જળ કે અગ્નિમાં પ્રવેશ કરીશ.” રાજા બે -“હે કપિલ! આ બાળા પ્રાણ ત્યાગ ન કરે, અને કેટલાક દિવસ સુધી તે મારા મંદિરમાં રહો.” કપિલે તે વાત સ્વીકારી એટલે રાજાએ તેને રાણીઓને સોંપી. વિવિધ પ્રકારનાં તપ કરતી સત્યભામા રાજમંદિરમાં રહી. તે સમયમાં કૌશાંબી નગરીમાં બલ નામે એક બલવાન રાજાને શ્રીમતી દેવીના ઉદરથી શ્રીકાંતા નામે એક કન્યા ઉત્પન્ન થઈ હતી. તે રૂપવતી બાળ યૌવનને પ્રાપ્ત થતાં શ્રીષેણ રાજાના પુત્ર ઇદુષેણને સ્વયંવરથી વરવા તેને મોટી સમૃદ્ધિ સહિત તેણે રત્નપુર મેકલી. તેની સાથે અનંતમતિકા નામે એક વેશ્યા આવી હતી. તે ઉત્કૃષ્ટ રૂપવાળી ઈદુષણ અને બિંદુના લેવામાં આવી તેને જોતાંજ “આ મારી છે. આ મારી છે,” એમ બને જણ વાદથી કહેવા લાગ્યા, પરસ્પર ઈર્ષોથી તે બન્ને દેવરમણ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં એક કાંતાની સાથે રતિ કરવાની ઈચ્છાથી બે વૃષભની જેમ તે દુદ્દત અને મહાભુજ સનસ્ક્રબદ્ધ થઈને યુદ્ધ કરવા લાગ્યા. તેમને યુદ્ધ કરતાં અટકાવવાને શ્રીષેણ રાજા સમર્થ થયા નહીં. જર્મદપુરૂષો પ્રિય સમજુતીથી સાધ્ય થતા નથી. તેઓ દંડથી જ સાધ્ય થાય છે. બન્ને પુત્રની આ પ્રવૃત્તિ જેવાને અને અટકાવવાને અસમર્થ એવા શ્રીષેણરાજા અભિનંદિતા અને શિખિનંદિતાની સાથે વિચાર કરી ‘આ કાળ પ્રાપ્ત થયે”એમ બોલતા બોલતા તાળપુટ ઝેરથી વ્યાપ્ત એવા કમળને સુંઘી ક્ષણવારમાં મૃત્યુ પામ્યા. અને રાણીઓ પણ તેજ પ્રમાણે કમળ સુંધીને મૃત્યુ પામી. કુલીનકાંતાઓ પતિ વિના જરાવાર પણ જીવિતવ્ય ધારણ કરી શકતી નથી. આ ખબર સાંભળતાં જ હવે કપિલથી મને અનર્થ થશે” એવું ધારીને શરણ રહિત થયેલી સત્યભામાં પણ તેજ પ્રમાણે વિષયુક્ત કમળ સુઘીને તેમના માર્ગને અનુસરી તે ચાર જણ અતિ મૃદુભાવથી મૃત્યુ પામીને જંબૂદ્વીપના ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલીઆપણે ઉત્પન્ન થયા. શ્રીણું તથા અભિનંદિતા પુરૂષસી થયાં, અને શિખિનંદિતા તથા સત્યભામા પુરૂષ સ્ત્રી થયા. ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા અને ત્રણ કશ ઉંચા શરીરવાળા તેઓ અતિ સુખનો અનુભવ કરતાં કાળ નિગમન કરવા લાગ્યા. અહીં દેવરમણ ઉદ્યાનમાં ઇદુષણ અને બિંદુષણ યુદ્ધ કરતા હતા, ત્યાં વિમાનમાં બેસીને કોઈ વિદ્યાધર આવ્યું. પ્રતિકૂળ દેવનું નિવારણ કરનાર જાણે દ્વારપાળ હોય તેમ તે વિદ્યાધર તે બંનેની વચમાં ઉભું રહી ઉંચા હાથ કરીને બોલ્યા- અરે મૂઠે! આ તમારી બહેન છે. તેને જાણ્યા વગર તમે સ્ત્રી કરવાની ઈચ્છાથી શામાટે યુદ્ધ કરે છે? વિસ્તારથી મારા વચન સાંભળો આ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ ઉપર પુષ્કળાવતી નામે એક વિસ્તારવાળે વિજય છે. તેની મધ્યમાં પૃથ્વીને જાણે રૂપાને મુગટ હેરા તે વિદ્યાધરનું નિવાસસ્થાન વૈતાઢય નામે આકાશ સુધી ઉંચે એક પર્વત છે, તે પર્વતની ઉપર ઉત્તર શ્રેણીમાં આદિત્યાભ નામના નગરમાં લહમીથી કુંડલીંદ્ર (શેષનાગ) જે સુકુંડળી નામે રાજા છે. તેને અજિતસેના નામે શિલવતી દયિતા છે. તેને હું મણિકુંડલી નામે પુત્ર છું. એક વખતે ત્યાંથી ગરૂડની જેમ આકાશમાં ઉડતે શ્રી જિનંદ્રને વાંદવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy