SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] સનકુમારે ગ્રહણ કરેલ ચારિત્ર [ પ ૪ ક્ષુ' કે જેથી ચંદ્રિકામાં તારાની કાન્તિની જેમ શરીરપર કરેલુ અભ્યંગ તે કાંઈ જણાતુ પણ નથી. જેવું ઈંદ્રે વર્ણન કર્યું' તેવુંજ રૂપ છે, તેમાં જરાપણ ફેર નથી. કેમકે મહાત્મા દિપણું મિથ્યા ભાષણ કરતા નથી. ’ સનત્કુમારે પુછ્યુ...–“ હું ઉત્તમ દ્વિજો ! તમે અહીં શા માટે આવ્યા છે ?” તે એલ્યા–“ હું નરકેશરી ! આ સચરાચર જગત્માં લેકેત્તર ચમત્કારી તમારૂ રૂપ ગવાય છે; તેથી હું પૃથ્વી'દ્ર ! દૂરથી તે હકીકત સાંભળી અમને કૌતુક થવાથી તે જોવાને અમે અહી આવ્યા છીએ. હે રાજા ! લેાકેામાં તમારા રૂપનુ' અદ્ભુત વર્ણન અમારા સાંભળવામાં આવ્યું હતું, તેનાથી પણ અહીંતા વિશેષ જોવામાં આવે છે. ” તે સાંભળી સ્મિત હાસ્યથી અધરને વ્યાપ્ત કરતા સતકુમાર ખેલ્યા- દ્વિજવરા! અત્યારે મારૂં અંગ અભ્યંગથી વ્યાપ્ત છે, તેથી અત્યારે તે તમને થાડી કાંતિ જણાય છે. પરંતુ ક્ષણવાર એક તરફ ઉભા રહીને રાહ જુઓ. મારે સ્નાન કરવાને સમય છે. તે થઇ રહ્યા પછી વિચિત્ર વેશ અને ઘણા આભૂષણૈાથી જ્યારે હું મારા શરીરને શણુગારીશ ત્યારપછી તે રત્ન સહિન કાંચન જેવું તમારા જોવામાં આવશે.” આ પ્રમાણે કહી રાજા સ્નાન કરી, ઉત્તમ વેશ અને આભૂષણ પહેરી ગગનપર સૂર્યની જેમ માટા આડ ંબરથી સભામાં આવીને બેઠા. પછી રાજાની આજ્ઞા થતાં તે બન્ને બ્રાહ્મણ રાજાની પાસે આવ્યા. તે વખત તેમનું વિકૃત થયેલું રૂપ જોઈ ખેદ પામીને તેએ વિચાર કરવા લાગ્યા—“ અહા ! ક્ષણવારમાં તે રૂપ, તે કાંતિ, અને લાવણ્ય કયાં ચાલ્યું ગયુ...! અથવા મનુષ્યને સ* ક્ષણિકજ હાય છે.” એ પ્રમાણે તેમને ખેદ પામતા જોઈ રાજાએ પૂછ્યું – પ્રથમ મને જોઈને ખુશી થયા હતા અને અધુના અકસ્માત ખેદથી મલિન મુખવાળા કેમ થઈ ગયા છે ?” તે વખત તે વિપ્રેએ અમૃત જેવી મધુર વાણીએ કહ્યું–“હે મહાભાગ ! અમે સૌધર્મ દેવલેાકના નિવાસી દેવતા છીએ. ત્યાં દેવતાએની સભામાં શકે તમારા રૂપનુ વણુન કર્યું, તે વાતપર અમને શ્રદ્ધા ન આવી, તેથી મનુષ્ય રૂપે અમે નજરે જોવાને અહી આવ્યા; ત્યાં પ્રથમ તે ઇંદ્રે જેવું કહ્યું હતું તેવુ જ રૂપ અમારા જોવામાં આવ્યું; પશુ અત્યારે જાણે તદ્દન જુદુ જ હાય તેવું રૂપ જણાય છે. કેમકે અત્યારે તે નિઃશ્વાસેાથી દણુની જેમ, કાંતિના સસ્ત્રને ચારનારા વ્યાધિએથી તમારા દેહ સત્ર ઘેરાયેલા લાગે છે તેથી તે ઘણો વિરૂપ થયેલા છે.” આ પ્રમાણે કહી તે દેવતાએ તરતજ અંતર્ધાન થઈ ગયા, પણ તેનાં વચન સાંભળતાંજ રાજાએ ખરથી ગ્રસ્ત થયેલા વૃક્ષની જેમ પેાતાનુ શરીર કાંતિ રહિત અવલેાકયું. તે વિચાર કરવા લાગ્યા કે-“રેગના સ્થાનરૂપ આ શરીરને ધિક્કાર છે! તુચ્છબુદ્ધિવાળા મુગ્ધજને તેની ઉપર ફેાગઢ મૂર્છા રાખે છે. આ શરીર અ ંદરથી ઉત્પન્ન થતા વિવિધ વ્યાધિઓ વડે દારૂણ ઉદેહીના કીડાથી કાષ્ઠની જેમ વિદ્યીણુ થઈ જાય છે. વડના ફૂલની જેમ કદિ તે ખડારથી રૂચિકર હાય. તથાપિ અંદર કીડાઓથી આકુલ હાય છે. માઠા સરાવરના જલને સેવાળની જેમ રેગ શરીરની રૂપસપત્તિને તત્કાળ બગાડી નાખે છે, શરીર શિથિલ થાય છે પણ આશા શિથિલ થતી નથી રૂપ ચાલ્યુ જાય છે પણ પાપમુદ્ધિ જતી ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy