SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જો] પ્રભુના દીક્ષાભિષેક [ ૧૪૧ ' t નારા મિથ્યાત્વરૂપ અંધકારથી તથા અદ્ભૂત પદાના સર્વ પ્રકારના અજ્ઞાનથી આ સમય ઘણા કાળથી રાત્રિની જેવા આ ભરતક્ષેત્રમાં પ્રવતા હતા, તેમાં આપ જેવા સ્વામીરૂપ સૂર્ય'ના ઉદય થતાં અત્યારે પ્રભાતકાળ થયેલા છે. નીચા સ્થાનમાં જનારી આ સૌંસારરૂપી નદી કે જે અત્યારસુધી નીચ જનાએ ઉલ્લ્લંઘન કરી શકાઈ નથી તે હવે તમારા ચરણુરૂપ “સેતુને પ્રાપ્ત કરી સુખે ઉલ્લ્લંઘન કરવા ચેાગ્ય થઈ છે. હું ધારૂં છુ કે જે ભવ્યજના તમારા શાસનરૂપી નિશ્રેણી ઉપર ચડવા છે તે થાડા કાળમાં ઉંચા લેાકાગ્ર ઉપર પણ ચડી ચુકયાજ “ છે. ગ્રીષ્મૠતુના તાપથી તપેલા વટેમાર્ગુ એને જેમ વર્ષાદ પ્રાપ્ત થાય તેમ સ્વામી વગરના “ એવા અમેને ચિરકાળે તમે એક ઉત્તમ સ્વામી પ્રાપ્ત થયેલા છે, ’’ 66 દર “ આ પ્રમાણે એ તેરમા તીથ કરની સ્તુતિ કરીને ઇંદ્રે જેમ આવ્યા હતા તેમ પાછા શ્યામાદેવી પાસે જઈ પ્રભુને ત્યાં સ્થાપન કર્યાં. પછી શક્રઇંદ્રે પ્રભુના વાસગૃહથી અને ખીજા ઇંદ્રો મેરૂપ તથી કલ્યાણક યાત્રા કરીને વહાણવટીએની જેમ પાતપેાતાના સ્થાન પ્રત્યે ગયા. પ્રભાતકાળે પુત્રજન્મના ખબર સાંભળી કૃતવર્માં રાજાએ અતિ હર્ષિત થઈ મેટી સમૃદ્ધિથી વિશ્વને સુખ આપે તેવા તેને જન્મમહેન્સવ કર્યાં. પ્રભુ જ્યારે ગભ માં હતા ત્યારે તેમની માતા વિમળ (નિમ`ળ) થઈ ગયા હતા. તેથી પિતાએ તેમનું વિમળ એવુ' નામ પાડયુ’. દેવાંગનાઓએ ધાત્રી થઈ ને લાલન કરેલા અને દેવાએ સમાનવયના મિત્રો થઈ રમાડેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામ્યા. સાઠે ધનુષ્ય ઉંચા અને એક હજાર ને આઠ લક્ષણેાયુક્ત પ્રભુ યૌવન વયને પ્રાપ્ત થયા. જો કે પ્રભુને સંસાર ઉપર વૈરાગ્યભાવ હતા તેા પણ માતાપિતાના આગ્રહથી ભાગ્યકમ રૂપ રાગની ઔષધિરૂપ એવી રાજપુત્રીએની સાથે તેમણે વિવાહ કર્યાં. કૌમાવયમાં પ`દર લાખ વર્ષ ઉલ્લે ઘન કર્યાં પછી પિતાનાં વચનથી પ્રભુએ પૃથ્વી ઉપર રાજ્ય ચલાવવા માંડયુ; કારણ કે તીથ કરીને પણ પિતાની આજ્ઞા માન્ય છે. * પૃથ્વીને પાલન કરતાં ત્રીશ લાખ વર્ષી ગયા પછી પ્રભુએ સંસારસાગરને તરવામાં નાવિકારૂપ દીક્ષા ગ્રહણ કરવાના વિચાર કર્યાં, તે વખતે સારસ્વત વિગેરે લેાકાંતિક દેવતાઓએ આવીને ‘ કે સ્વામિ ! તીર્થાં પ્રવર્તાવા ' એમ જગદ્ગુરૂને કહ્યુ. પછી જ઼ભક દેવતાઓએ લાવેલા દ્રવ્યવડે પૃથ્વીપર રહેલા કલ્પવૃક્ષની પેઠે પ્રભુએ યાચકાને ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું. દાનને અંતે સ` ઇંદ્રોએ પેાતાના હૃદયની જેવા નિળ જળવડે વિમળપ્રભુના ડીક્ષાભિષેક કર્યાં. પછી દિવ્ય વજ્ર, અલંકાર તથા વિલેપનવર્ડ યુક્ત થઈ પ્રભુ દેવદત્તા નામની શિમિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર અને મનુષ્યેાના અધીશેાએ પરવરેલા પ્રભુ તે શિબિકાવડે સહસ્રામ્ર વનમાં પધાર્યાં. તે ઉદ્યાનમાં શીતથી ભય પામતી એવી ઉઘાનપાલેાની બાળાઓ તેમાં રહેલી લતાકુંજની શ્રેણીને મંદિરની પ્રીતિથી સેવતી હતી. જેમની ભવિષ્યમાં અદ્ભુત શૈાભા થવાની છે એવા આંખા અને રસલી વિગેરે વૃક્ષેા જાણે તપસ્યા કરતા હાય તેમ અતિ શીતકારક ખરફને સહન કરતા હતા. નવીન કુવાના પાણીથી અને વડની ઘાટી છાયાથી ક્રીડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy