SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લેા ] ત્રિપૃષ્ટ તથા અચલકુમારને પ્રાપ્ત થયેલ વિદ્યાસિદ્ધિ [ ૧૦૩ અધગ્રીવના તમામ સુભટા તેની ઉપર એક સાથે કાધથી પ્રહાર કરવા લાગ્યા; કારણ કે જ્યારે પેાતાના પક્ષના માણસ પરપક્ષમાં જોવામાં આવે છે, ત્યારે કાષ સહજ ઉત્પન્ન થાય છે. અપવાદ રહિત એવા જ્વલનટીએ ‘અપવાદથી ઉડ્સની જેમ તેના શસ્ત્રોના પેાતાના શસ્ત્રોથી નાશ કર્યા; અને પછી ઉત્પાતકાળના મેઘ જેમ કરાની વૃષ્ટિથી હાર્થીઓને ઉપદ્રવ પમાડે તેમ પેાતાના તીક્ષ્ણ ખાણેાની વૃષ્ટિથી તે સ* સુભટાને ઉપદ્રવિત કર્યા. સહેજવારમાં વાદી જેમ સૉંના ગવને હરી લે, તેમ તેઓના વિદ્યાબળ અને ભુજખળના ગવને જ્વલનજટીએ હરી લીધેા. પછી તેને કહ્યું- અરે વિદ્યાધરા ! ચાલ્યા જાએ, અનાથ અને ગરીબ એવા તમને કેાઈ મારશે નહી. હવે તમારા હયગ્રીવને મધ્યમાં સ્વામી કરીને થાવત્ત પર્વત ઉપર આવા, અમે પણ ત્યાં ઘેાડા સમયમાં આવી પહેાંચશુ. ’ _ આ પ્રમાણે અવજ્ઞાથી કહ્યું; એટલે તે હયગ્રીવના સુભટા ભય પામી પ્રાણ લઈને કાગડાની જેમ ત્યાંથી નાસી ગયા, અને જાણે મસીથી લીંપાયેલા હાય તેમ ષણી લજજાથી જેમના મુખ મલિન થયેલાં છે એવા તે સુભટાએ મયૂરગ્રીવના પુત્ર અશ્વગ્રીવ પાસે આવીને તે વૃત્તાંત કહ્યું. તેએની વાણીથી આહૂતિવડે અગ્નિની જેમ નીલાંજનાના પુત્ર અને અક્ષય ભુજપરાક્રમવાળા અશ્વગ્રીવ રાજા, કાપથી રાતા વિકરાળ નેત્ર કરી અને રાક્ષસની પેઠે ભયંકર રૂપ ધરી પેાતાના સામત, અમાત્ય અને સેનાપતિ વિગેરેને આ પ્રમાણે આજ્ઞા કરવા લાગ્યાઅરે વીરા ! સર્વ પ્રકારની તૈયારીથી તમે સત્વર આવે, અને ઉછળતા સમુદ્રની જેમ બધું સૈન્ય એક સાથે પ્રયાણ કરે તેમ કરી; કારણકે ધૂમાડા જેમ મસલાંના સહાર કરે તેમ ત્રિપૃષ્ટ, અચલ અને જ્વલનજી સહિત પ્રજાપતિ રાજાના હું સંગ્રામમાં સહાર કરીશ. ’ આ પ્રમાણે કેપ સહિત અને ઉગ્ર એવેા અધગ્રીવ રાજા ખાલી રહ્યો એટલે બુદ્ધિના ગુણગ્રામનુ' મંદિર એવા મુખ્ય પ્રધાને તેને આ પ્રમાણે કહ્યું- આપ મહારાજાએ પૂવે લીલામાત્રમાં આ ત્રિખંડ ભરતક્ષેત્રને જીતી લીલું છે, અને તે આપની કીતિ તથા લક્ષ્મીની વૃદ્ધિને માટે થયેલું છે, તેમજ સવ પરાક્રમીએમાં આપ અગ્રેસર થયા છે, તેા આ એક માત્ર સામતરાજાને વિજય કરવા માટે તમે પાતે તૈયાર થયા છે, તેા હવે તેથી તમે વિશેષ શી કીતિ અને શી લક્ષ્મી મેળવશેા ? પરાક્રમી પુરૂષોના હોન પુરૂષના વિજયથી કાંઈ પણ ઉત્કૃષ થતા નથી; કારણકે “ હાથીને વિદારણ કરનાર કેસરીસિંહની એક હરિણ મારવાથી શી પ્રશંસા થાય ?' પણ કદિ જો હીન પુરૂષને દૈવયેાગે વિજય થાય તા પૂર્વ ઉપાજેલા સ યશેારાશી એકી સાથે ચાલ્યું જાય છે; કેમકે રણની ગતિ વિચિત્ર છે. વળી સિંહના વધથી અને ચંસિંહના ઘર્ષણુની પ્રતીતિથી નિમિત્તિયાની સત્ય વાણી '' ܕ જૈન સિદ્ધાંતમાં ઉત્સગ માગ અને અપવાદ માત્ર એમ એ પ્રકારના માર્ગો કહેલા છે. તેમાં ઉત્સગ એ મુખ્ય વિધિમા` છે. અને ચેાગ્ય અવસરે તેમાં ફેરફાર કરવાને રસ્તા બતાવેલા છે તે અપવાદ માગ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy