SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતઃ લેાકભોગ્ય અને વિદ્વદભોગ્ય મહાકાવ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાયે આપણા સાહિત્યજગતને જે મહામૂલી કૃતિઓ સમર્પણુ કરી, તેમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનું સ્થાન અનેરુ/વિશિષ્ઠ છે. તે એટલા માટે કે કલિકાલ સર્વજ્ઞની બીજી કૃતિઓ મહાન તા છેજ, પર`તુ તે મહદંશે વિદ્ભાગ્ય-વિદ્વાન અને મ`જ્ઞા જ માણી શકે તેવી-છે. જ્યારે પ્રસ્તુત કૃતિ જેટલી વિદ્વદ્ભાગ્ય છે, તેટલી જ લાકભાગ્ય પણ ખની છે. આ વાતને વધુ સ્પષ્ટતાથી વિચારીએ. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર એ એક મહાકાવ્ય છે. કેમ કે કાવ્ય અને સાહિત્યના શાસ્ત્રામાં મહાકાવ્યનાં જે લક્ષણા કે વ્યાખ્યાઓ છે, તે તમામ આ મહાકાવ્ય-ગ્રંથને સુપેરે લાગુ પડે છે. વિલક્ષણતા તા એ છે કે ખીજાં મહાકાવ્યેા પ્રાયઃ તા વિવિધ અને નાના-મોટા દામાં ગૂ ંથાતાં હોય છે, જ્યારે આ મહાકાવ્ય માત્ર અનુષ્ટુભ છંદમાં જ રચાયું છે, અને આટલા નાનકડા છંદમાં ગૂંથાયેલા શ્લોકોમાં પણ પ્રસાદ, માય આજ કે શબ્દાલંકાર અને અર્થાલ...કારની સભરતા તેમ જ રસાત્મકતા અને ધ્વન્યાત્મકતા એવાં તે છવાયાં છે કે મજ્ઞ વિદ્વાન હોય તે તે માંમાં આંગળાં જ નાખે. આપણે ત્યાં કુળમાં જાહિદ્દાલક્ષ્ય-ઉપમા તેા કાલિદાસની જ-એવી રૂઢિ સત્ર પ્રસિદ્ધ છે, અને એમાં તથ્ય પણુ ઓછું નથી જ. પરંતુ શ્રી હેમચન્દ્રાચાયે' પ્રસ્તુત મહાકાવ્યમાં ઉપમાઓના જે વિલક્ષણ, અનુપમ અને વૈવિધ્યસભર કહી શકાય તેવા ધેાધ વરસાવ્યેા છે તે તે। કાલિદાસને પણ ભૂલવાડી દે તેવા છે, એમ કહેવામાં અતિશયાક્તિ નથી. અને પ્રસ્તુત મહાકાવ્યને વાંચ્યા પછી, કાઈ પણ મજ્ઞ ભાવક, આ વિધાનની યથાર્થતા સ્વીકાર્યાં વિના નહિ જ રહે, તે નિર્દેશક છે. આ તા આ મહાકાવ્યની વિશિષ્ટતાને નમૂના જ વણુ બ્યા, આવી તે અઢળક વિશિષ્ટતાઓ આ ગ્રંથમાં પડી છે, જે તેને વિદ્ભાગ્ય મહાકાવ્ય તરીકે સહેજે પ્રસ્થાપિત કરી આપે અને આમ છતાં, આ ગ્રંથની લાકભાગ્યતા પણુ કાંઈ જેવી તેવી નથી જ. સામાન્યત । આપણા સંસ્કૃત સાહિત્યમાં વધુમાં વધુ લેાકભાગ્ય સાહિત્ય તે પુરાણકથાસાહિત્ય છે. અલખત્ત, બીજું સાહિત્ય લોકભાગ્ય નથી એવુ નથી, પરંતુ પુરાણુકથાસાહિત્ય પ્રત્યે જનમાનસને વિશેષ પક્ષપાત અને પ્રીતિ છે. એ તથ્ય ને ઉવેખી કેમ શકાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy