SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. નિર્નામિકાનું વૃત્તાંત. ૨૭ રહિત વ્રત પાળીને કાળ કરી, તે ઈશાન દેવલોકમાં ઈદ્રને દઢધામ નામે સામાનિક દેવ થયો. તે ઉદાર બુદ્ધિવાળા દેવે પૂર્વ ભવના સંબંધથી બંધુની પેઠે પ્રેમ-વ્યાપ્ત થઈ, ત્યાં આવી લલિતાંગ દેવને આશ્વાસન પમાડવાને કહ્યું-હે મહાસત્ત્વ ! ફક્ત સ્ત્રીને માટે આમ કેમ મેહ પામે છે ? ધીરપુરુષ પ્રાણત્યાગને સમય આવે તે પણ આવી દશાને પ્રાપ્ત થતા નથી.” લલિતાગે કહ્યું–બંધુ ! તમે એમ કેમ બેલો છે ? પ્રાણુને વિરહ સહન થઈ શકે, પણ કાંતાવિરહ દુસહ છે. આ સંસારમાં સારંગલોચના જ એક સારભૂત છે, કેમકે તેના વિના સર્વ સંપત્તિઓ અસાર થઈ ગઈ છે. તેના એવા દુઃખથી ઈશાનદ્રને તે સામાનિક દેવ પશુ દુઃખી થઈ ગયે.. પછી અવધિજ્ઞાનને ઉપયોગ દઈ તેણે કહ્યું- હે મહાનુભાવ! તમે ખેદ કરે નહીં. મેં જ્ઞાનવડે તમારી થનારી પ્રિયા ક્યાં છે તે જાણ્યું છે, માટે સ્વસ્થ થાઓ અને સાંભળે–પૃથ્વી ઉપર ઘાતકીખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે નંદી નામે ગ્રામમાં દરિદ્ર સ્થિતિવાળે નાગિલ નામે ગૃહપતિ રહે છે. તે ઉદરપૂતિ કરવાને માટે નિરંતર પ્રેતની પેઠે ભમે છે, તે પણ સુધિત અને તૃષિત સ્થિતિમાં સૂવે છે અને તે જ પાછો ઊઠે છે, દારિદ્રયને બુભુક્ષાની જેમ તેને મંદ ભાગ્યમાં શિરમણિ એવી નાગશ્રી નામે સ્ત્રી છે. પામનાર વ્યાધિવાળાને જેમ ઉપરાઉપરી ફેડકીઓ થયા કરે તેમ નાગિલને ઉપરાઉપર છ પુત્રીઓ થઈ. તેની તે પુત્રીઓ ગામના ડુક્કરની જેમ પ્રકૃતિથી ઘણું ખાનારી, કુરૂપ અને જગને વિષે નિંદા પામનારી થઈ. પછી ફરીથી પણ તેની સ્ત્રી સગર્ભા થઈ. પ્રાયે દરિદ્રીને શીધ્ર ગર્ભ ધારણ કરે એવી સ્ત્રી હોય છે. એ સમયે નાગિલ મનમાં ચિંતા કરવા લાગ્યા–“આ મારે કયા કર્મનું ફળ હશે, જેથી હું મનુષ્ય લેકમાં રહીને પણ નરકની વ્યથા ભેગવું છું, જન્મથી પ્રાપ્ત થયેલા અને જેને પ્રતિકાર થવે અશકય છે એવા આ દારિદ્રયથી, ઉધઇવડે જેમ વૃક્ષ ક્ષીણ થાય તેમ હું ક્ષીણ થઈ ગયું છું. જાણે પ્રત્યક્ષ અલહમી હોય, જાણે પૂર્વ જન્મની વરિણું હોય તેવી અને નિલક્ષણ મૂતિવાળી આ કન્યાઓએ મને પડ્યો છે. જે હવે આ વખતે પણ દુહિતાને પ્રસવ થશે તે હું આ કુટુંબને ત્યાગ કરી દેશાંતરમાં જતો રહીશ.” એમ ચિંતા કર્યા કરે છે તેવામાં તે દરિદ્રની ગૃહિણીએ પુત્રીને જ જન્મ આપ્યો. કર્ણમાં સોયના પ્રવેશ જે દુહિતાને જન્મ તેણે સાંભળ્યો એટલે અધમ બળદ જેમ ભારને છેડી ચાલ્યો જાય તેમ તે નાગિલ કુટુંબને છેડીને ચાલ્યા ગયે. તેની સ્ત્રીને પ્રસવદુઃખ ઉપર પતિપ્રવાસની વ્યથા તત્કાળ પડેલા ઘા ઉપર ક્ષાર પડ્યા જેવી થઈ. અતિ દુઃખિત થયેલી નાગશ્રીએ તે કન્યાનું નામ પણ પાડયું નહીં, તેથી લોકો તેનું નિર્નામિકા એવું નામ કહેવા લાગ્યા. નાગશ્રીએ તેનું સમ્યક પ્રકારે પાલન કર્યું નહી તો પણ તે બાળા વૃદ્ધિ પામવા લાગી. વજીથી હણાયેલા પ્રાણીનું પણ આયુષ્ય ત્રુટિત ન થયું હોય તે મૃત્યુ થતું નથી. અત્યંત દુર્ભગા અને માતાને ઉદ્વેગ કરનારી તે બાલિકા બીજાને ઘરે હલકા કામ કરી કાળ નિર્ગમન કરવા લાગી. એકદા ઉત્સવને દિવસે કેઈ ધનાઢ્યના બાળકના મોદક જોઈ તે બાલિકા પોતાની માતા પાસે મેક માંગવા લાગી. તે વખતે તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું–મેદક શું તારા બાપ થાય છે કે તું તે માંગે છે ? જે તારે માદક ખાવાની ઈચ્છા હોય તે અંબરતિલક પર્વત ઉપર કાષ્ઠને ભારો લેવા દોરડી ૧ હરણ સરખા લોચનવાળી સ્ત્રી. ૨ ભૂખ. ૩ ખસ. ૪ પુત્રી. * દુર્ભાગ્યવાળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy