SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. સ્વયં બુધે કહેલ પૂર્વને ઇતિહાસ ૨૧ ત્યાર પછી મહામતિ મંત્રી બા–“આ સેવ માયા છે. તત્ત્વથી કાંઈ નથી. આ સર્વ પદાર્થો જણાય છે તે સ્વપ્ન અને મૃગતૃષ્ણાવત્ મિથ્યા છે. ગુરુ શિષ્ય, પિતા પુત્ર, ધર્મ અધર્મ, પિતાને અને પારકો–એ સર્વ વ્યવહારથી જોવામાં આવે છે, પણ તત્ત્વથી કાંઈ નથી. જેમ શિયાળ લાવેલું માંસ નદીના તીર ઉપર છેડી માછલાને માટે પાણીમાં પડ્યો એટલામાં મીન જળમાં પેસી ગયું અને પેલું માંસ ગીધ પક્ષી ઉપાડી ગયું, તેમ જેઓ ઐહિક સુખ છડી પરલોકને માટે દોડે છે તેઓ ઉભયભ્રષ્ટ થઈ પિતાના આત્માને ઠગે છે. પાખંડી લોકોની ખોટી શિખામણે સાંભળી-નરકથી વહીને મેહાધીન પ્રાણીઓ વ્રત વગેરેથી પિતાના દેહને દંડે છે અને લાવક પક્ષી જેમ પૃથ્વી પડી જવાની શંકાથી એક પાઠ વડે નાચે છે તેમ મનુષ્ય નરકપાતની શંકાથી તપ કરે છે.” સ્વયંબુદ્ધે કહ્યું “જે વસ્તુ સત્ય ન હોય તે તેથી પિતપોતાના કૃત્યને કરનાર પિતે કેમ થાય ? આવી જે માયા હોય તે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલે હાથી કાર્ય કેમ કરતો નથી ? તમે પદાર્થોને કાર્યકારણુભાવ સત્ય માનતા નથી તો પડતા વજની બીક શા માટે રાખે છે ? અને જો એવું હોય તે તમે અને હું–વાચ્ય અને વાચક એવું કાંઈ પણ નથી. ત્યારે વ્યવહારને કરનારી ઈષ્ટની પ્રતિપત્તિ પણ કેમ થાય ? હે દેવ ! વિતંડાવાદમાં પંડિત, સારા પરિણામથી પરમુખ અને વિષયાભિલાષી એવા આ લોકથી તમે છેતરાઓ છે, માટે વિવેકનું અવલંબન કરીને વિષને ત્યાગ કરે અને આ લોક પરલોકના સુખને માટે ધમનો આશ્રય કરો.” એવી રીતે મંત્રીઓનાં જુદા જુદા ભાષણે સાંભળીને પ્રસાદથી સુંદર મુખવાળા રાજાએ કહ્યું-“હે મહાબુદ્ધિ સ્વયં બુદ્ધ ! તમે ઘણું સારું કહ્યું, તમે ધર્મ ગ્રહણ કરવાનું કહ્યું તે યુક્ત છે, અમે પણ ધર્મ દ્વેષી નથી, પરંતુ યુદ્ધમાં જેમ અવસરે મંત્રાસ ગ્રહણ કરાય છે તેમ અવસરે ધર્મનું ગ્રહણ કરવું એગ્ય છે. ઘણે કાળે આવેલા મિત્રની પેઠે પ્રાપ્ત થયેલા યૌવનની એગ્ય પ્રતિપત્તિ કર્યા વિના કેણ ઉપેક્ષા કરે ? તમે જે ધર્મોપદેશ કર્યો તે અગ્ય અવસરે કર્યો છે, કેમકે વીણું વાગતી હોય તે સમયે વેદને ઉદ્દગાર શોભતે નથી. ધર્મનું ફળ પરલોક છે તે સંદેહવાળું છે, માટે તમે આ લોકના સુખાસ્વાદને કેમ નિષેધ કરે છે ?” રાજાનાં એવાં વચને સાંભળી સ્વયંબુદ્ધ અંજલિ જેડી બે-“મહારાજ ! આવશ્યક એવા ધર્મના ફળમાં કયારે પણ શંકા કરવી યુક્ત નથી. આપને યાદ છે કે બાલ્યાવસ્થામાં આપણે એક દિવસ નંદનવનમાં ગયા હતા, ત્યાં આપણે એક સુંદર કાંતિવાન દેવને જોયા હતા. તે વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું-હું અતિબળ નામે તમારે પિતામહ છું. નઠારા મિત્રની પેઠે વિષયસુખથી ઉદ્વેગ પામીને મેં તૃણની જેમ રાજ્ય છેડી દીધું અને રત્નત્રયીનું ગ્રહણ કર્યું. અંતાવસ્થાએ પણ વ્રતરૂપી મહેલના કળશરૂપ ત્યાગભાવને મેં ગ્રહણ કર્યો, તે તેના પ્રભાવથી હું લાંતકાધિપતિ દેવતા થયો છું, માટે તમારે પણ અસાર સસારને વિષે પ્રમાદી થઈને રહેવું નહિ. એવી રીતે કહી વીજળીની જેમ આકાશને પ્રકાશિત કરતા તે દેવ અંતર્ધાન થઈ ગયા હતા માટે મહારાજ ! આપ તમારા પિતામહના તે વચનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy