SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પાણિગ્રહણ-મહત્સવ સગ ૨ જે. આપ્યો હતો તેથી તે વખતે વૃક્ષને ટેકે લઈ રહેલ હસ્તી શોભે તેમ પ્રભુ શોભવા લાગ્યા. તરત જ મંડપની સ્ત્રીઓમાંથી કેઈએ અગ્નિ અને લવણ અંદર હોવાથી તડતડાટ શબ્દ કરતું એક સરાવસંપુટ દ્વારના મધ્યભાગમાં મૂકયું ! કઈ સ્ત્રીએ પૂર્ણિમા જેમ ચન્દ્રને ધારણું કરે તેમ દુર્વા વિગેરે મંગળ પદાર્થો વડે લાંછિત કરેલો રૂપાનો થાળ પ્રભુની આગળ ધર્યો અને એક સ્ત્રી કસુંબી વસ્ત્ર પહેરીને, જાણે પ્રત્યક્ષ મંગળ હોય એવા પંચ શાખે યુક્ત રવૈયાને ઊંચે કરીને અર્થે આપવા માટે ઊભી રહી. “હે અર્થ આપનારી ! આ અર્થ આપવા લાયક વરને અધ્ય આપ, ક્ષણવાર માખણ ઉડાડ, સમુદ્રમાંથી જેમ અમૃત ફેંકે તેમ થાળમાંથી દધિ લઈને ફેંક, હે સુંદરિ ! નંદનવનમાંથી લાવેલા ચંદનરસને તૈયાર કર, ભદ્રશાળ વનની પૃથ્વીમાંથી મંગાવેલી દુર્વા હર્ષથી આણી આપ, કારણ કે એકઠા થયેલા લોકેના નેત્રની શ્રેણિવડે જંગમ તરણ થયું છે જેમને એવા અને ત્રણ લોકમાં ઉત્તમ એવા આ વરરાજા તોરણદ્વારમાં ઊભા રહ્યા છે, તેમના દેહને ઉત્તરીય વસ્ત્રના અંતરપટથી આચ્છાદિત કર્યો તેથી ગંગાનદીના તરંગમાં અંતરિત થયેલા યુવાન રાજહંસની જેવા જણાવા લાગ્યા. “હે સુંદરિ ! વાયુથી પુષ્પ ખરી પડે છે અને ચંદન સુકાઈ જાય છે, માટે એ વરને હવે દ્વારમાં ઘણીવાર રોકી ન રાખ.” એવી રીતે દેવતાઓની સુંદરીઓ ધવલમંગળ ગાતી હતી તે વખતે તેણું (કસુંબી વસ્ત્ર ધારણ કરી મથનદંડ–રવે લઈને ઊભી રહેલી સ્ત્રી)એ ત્રિજગને અર્થ આપવા એવા વરરાજાને અર્થે આ અને શોભાયમાન રક્ત હેઠવાળી તે દેવીએ ધવળમંગલની પેઠે શબ્દ કરતા પિતાના કંકણ સહિત હાથે ત્રિજગત્પતિના ભાલને ત્રણ વાર રવૈયાથી ચુંબન કર્યું. પછી પ્રભુએ પિતાની વામપાદુકાવડે હીમકપૂરની લીલાથી અગ્નિ સહિત સરાવસંપુટને ચૂર્ણ કરી નાખ્યું અને ત્યાંથી અધ્ય દેનારી દેવીએ કંઠમાં કસુંબી વસ્ત્ર નાખીને ખેંચેલા પ્રભુ માતૃભુવનમાં ગયા. ત્યાં કામદેવનો જાણે કંદ હોય તેવા મદનફળ ( મિંઢળ)થી શોભતું હસ્તસૂત્ર વધૂવરને હાથે બાંધવામાં આવ્યું. કેશરીસિંહ જેમ મેરુપર્વતની શિલા ઉપર બેસે તેમ વરરાજાને માતૃદેવીઓની આગળ ઊંચા સુવર્ણના સિંહાસન ઉપર બેસાર્યા. સુંદરીઓએ સમીવૃક્ષ અને પીપળાની ત્વચાનું ચૂર્ણ કરીને તેનો લેપ બંને કન્યાના હાથમાં કર્યો, તે જાણે કામદેવરૂપી વૃક્ષનો દેહદ પૂર્યો હોય તેમ જણાતું હતું. જ્યારે શુભ લગ્નને ઉદય થયે અર્થાત્ બરાબર લગ્ન સમય થયો ત્યારે સાવધાન થયેલા પ્રભુએ હસ્તલેપવાળા તે બંને બાળાને હસ્ત પિતાના હસ્તથી ગ્રહણ કર્યા. તે વખતે કે જળના કયારામાં જેમ શાળનું બીજ રોપે તેમ હસ્તલેપવાળા તે બંનેના હસ્તસંપુટમાં એક મુદ્રિકા નાંખી. પ્રભુના બંને હાથ તે બંનેના હાથ સાથે મળતાં, બે શાખામાં લગ્ન થયેલી બે લતાવડે જેમ વૃક્ષ શોભે તેમ તેઓ ભવા લાગ્યા. સરિતાઓના જળ જેમ સમુદ્રમાં મળે તેમ તે સમયે વધૂવરની દષ્ટિ પરસ્પર તારામલક પર્વમાં મળવા લાગી. વાયુ વિનાના જળની પેઠે નિશ્ચળ થયેલી દષ્ટિ દૃષ્ટિની સાથે અને મન મનની સાથે પરસ્પર જોડાઈ ગયા અને એક બીજાના નેત્રની કીકીઓમાં તેઓ પરસ્પર પ્રતિબિંબિત થયા. તે જાણે પરસ્પર અનુરાગથી એક બીજાના હૃદયમાં પેઠા હોય તેમ જણાવા લાગ્યા. એ વખતે વિધુત્રભાદિક ગજદંતા જેમ એની પાસે રહે તેમ સામાનિક દેવતાઓ ભગવાનની પાસે અનુવર (અણુવર) થઈને રહ્યા હતા. કન્યા તરફની જે સ્ત્રીઓ મશ્કરી કરવામાં ચતુર હતી તેમણે અનુવર ઉપર કૌતધવલ ગાવાને આ પ્રમાણે આરંભ – જ્વરવાળે માણસ જેમ સમુદ્રને શોષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy