SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના ૩૫ બોલ આદિ ૦૭૬ ૧ સમજવો. ૪. તે યાદ રાખવો. ૫. તેમાં તર્ક કરવો. ૬. તેમાં વિશેષ તર્ક કરવો. ૭. સંદેહ ન રાખવો. ૮. આ વસ્તુ આમ જ છે, એવો નિશ્ચય કરવો. ૧૫. નિત્ય ધર્મને સાંભળવો (જેથી બુદ્ધિ નિર્મળ થાય.) ૧૬. પહેલાં જમેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું ભોજન કરવું. ૧૭. જયારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી તરત જ મીઠાઈ વગેરે આવેલું જોઈ લાલચથી તે ઉપર ખાવું નહિ, કારણ કે અપચો થાય. ૧૮. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સાધવા. ૧૯. અતિથિ તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. ૨૦. નિરંતર અભિનિવેષ રહિત રહેવું-કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિના કામનો આરંભ કરવો નહિ. ૨૧. ગુણી પુરુષોનો પક્ષપાત કરવો, તેમનું બહુમાન કરવું. ૨૨. નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો. રાજા તથા લોકોએ નિષેધ કરેલા દેશકાળમાં જવું નહીં. ૨૩. પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. પોતાની શક્તિ હોય તે પ્રમાણે કામ આરંભવું. ૨૪. પોષણ કરવા યોગ્ય જેવાં કે માતા-પિતા-સ્ત્રી-પુત્રાદિકનું ભરણપોષણ કરવું. ૨૫. વ્રતને વિશે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા પુરુષોને પૂજવા. ૨૬. દીર્ઘદર્શી થવું-કોઈપણ કામ કરતાં લાંબી દષ્ટિ ફેરવી તેનાં શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. ૨૭. વિશેષજ્ઞ થવું-દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. ૨૮. કૃતજ્ઞ થવું-કરેલા ઉપકાર તથા અપકારને સમજનારા થવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy