SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (નજીક તથા મધ્ય ભૂમિ છોડીને) દૂર નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૬. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક તથા મધ્ય ભૂમિ છોડીને) દૂર નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. (૬-૭) સૂત્રપરિચય તથા પ્રકીર્ણક આ ચોવીસ માંડલા પોષ વ્રતમાં દૈવસિક પ્રતિક્રમણની પૂર્વે રાત્રિક પોષધ કરનાર શ્રાવક તથા શ્રાવિકા દ્વારા સામુદાયિકમાં ભણાવવામાં આવે છે તથા સાધુ ભગવંત અને સાધ્વીજી મહારાજ પણ દરરોજ દેવસિક પ્રતિક્રમણપૂર્વે ભણાવે છે. આ માંડલાંની વિધિ કર્યા બાદ સંપૂર્ણ રાત્રિમાં સો ડગલાં પ્રમાણ ભૂમિમાં જ રહેવાનું હોય છે. યાવત્ પ્રાતઃકાળનું રાત્રિક પ્રતિક્રમણ કરીને પડિલેહણાદિ વિધિ કરવા સુધી. ઉપર્યુક્ત પ્રમાણે વસતિમાં રહેવાનું હોય છે. આ માંડલાનો પાઠ ભણવા માટે નીચે પ્રમાણે વિધિ દર્શાવાય છે. ખમાં. પ્રાણિ. કરી ઈરિયા. કરી યાવત્ પ્રગટ “લોગસ્સસૂત્ર ભણવું. પુનઃ ખમા. પ્રણિ. પછી ઇચ્છા. સંદિ. સ્વૈડિલ પડિલેહું ? (એમ કહી ગુરુ પાસે આદેશ માગે) ગુરુ કહે-પડિલેહેહ (એમ આજ્ઞા આપે) ત્યારે ઇચ્છે' કહી ચોવીસ માંડલાંનો પાઠ ભણવો. શ્રી ઉપદેશમાલા ગાથા ૩૭૫માં આ માંડલા માટે નીચે પ્રમાણે કહ્યું છે : बारस बारस तिन्नि अ, काइअ उच्चार कालभूमीओ । अंतो बहिं अहिआरो, अण हिआसेण पडिलेहा ॥ ભાવાર્થ-બાર, બાર અને ત્રણ એમ અનુક્રમે લઘુનીતિ, વડી નીતિ અને કાળગ્રહણ માટે કુલ ૨૭ સ્થાનો(જગ્યા)નું પડિલેહણ-પ્રમાર્જન કરે તેમાં હાજત સહન થાય તો મકાનની બહારની અને સહન થાય નહીં ત્યારે અંદરની ભૂમિનો ઉપયોગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy