SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૭ ૬૧૭ ૫. પછી ગુરુને સુખશાતા પૂછીને રાત્રિક પ્રતિક્રમણની વિધિસર સ્થાપના કરવામાં આવે છે અને જમણો હાથ ચરવાળા કે કટાસણાં પર સ્થાપી પ્રતિક્રમણનાં બીજકરૂપ ‘સવ્વસવિ રાઈઅ દુચ્ચિતિઅ.' વગેરે પદો બોલવામાં આવે છે. ૬. પછી ‘નમો ત્યુ ણું' સૂત્ર બોલવામાં આવે છે, તે દેવ-વંદન મંગલ અર્થે સમજવું. ૭. પછી ‘કરેમિ ભંતે' સૂત્ર વગેરે બોલીને એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે, તે ચારિત્રાચારની શુદ્ધિ અર્થ સમજવો. પછી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે, તે દર્શનાચારની શુદ્ધિ અર્થે સમજવો. પછી ‘પુખ્ખ૨વ૨દીવà' વગેરે સૂત્રો બોલીને ‘અઈયા૨-વિયા૨ણગાહા’નો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે તે મુખ્યત્વે જ્ઞાનાચારની શુદ્ધિ અર્થે સમજવો. દૈવસિક પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે બે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે અને અહીં એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કેમ ?’ એનો ઉત્તર એ છે કે દિવસ કરતાં રાત્રિમાં થોડી પ્રવૃત્તિ હોવાથી અલ્પ દોષ લાગવાનો સંભવ છે.' વળી પહેલા કાઉસ્સગ્ગમાં અતિચારોનું ચિંતન કરવાને બદલે ત્રીજા કાઉસ્સગ્ગમાં અતિચારનું ચિંતન શા માટે કરવામાં આવે છે ?’ એનો ઉત્તર એ છે કે પહેલા કાઉસ્સગ્ગમાં નિદ્રાનો કંઈક ઉદય સંભવે છે, તેથી અતિચારોનું સારી રીતે ચિંતન થઈ શકે નહિ, તેથી તે ત્રીજા કાઉસ્સગ્ગમાં ચિંતવાય છે.’ ૮-૯. પછી ત્રીજા અને ચોથા આવશ્યકની જે ક્રિયા થાય છે, તેના હેતુ દૈવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ મુજબ સમજવા. ૧૦. પછી ત્રણ આચારોના કાઉસ્સગ્ગથી પણ અશુદ્ધ રહેલા અતિચારોની એકત્ર શુદ્ધિને અર્થે તપ ચિંતવવાનો કાયોત્સર્ગ કરવાનો છે. તે ન આવડે તો સોળ નમસ્કાર ગણવાની પ્રવૃત્તિ છે, પણ ખરી રીતે તપનું ચિંતન કરવું જોઈએ. તેનો વિધિ આ પ્રમાણે સમજવો : ‘શ્રીવીર ભગવાને છ માસનો તપ કર્યો હતો. હે ચેતન ! તે તપ તું કરી શકીશ ?' અહીં મનમાં ઉત્તર ચિંતવવો કે તેવી શક્તિ નથી અને પરિણામ નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસ ઓછો કરીને વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy