SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નવસાર-સિસ નાના-' શરદઋતુના નવીન ચંદ્ર જેવા કલાપૂર્ણ મુખવાળા એ પદમાં શરદઋતુનો નવીન કલાપૂર્ણ ચંદ્ર ઉપમાન છે અને ભગવાનનું મુખ ઉપમેય છે. ચૌદમી ગાથામાં “વંત-M-પટ્ટ-સેવા-સુદ્ધ નિદ્ધથવસ્ત–વંત પંતિ “–ધમેલા રૂપાની પાટ જેવી ઉત્તમ, નિર્મલ, ચકચકિત અને ધવલ દંત-પંક્તિવાળા-એ પદમાં ધમેલા રૂપાની પાટની ઉત્તમતા, નિર્મલતા, ચકચકિતતા અને ધવલતા ઉપમાન છે અને ભગવાનના દાંતની પંક્તિ ઉપમેય છે. પચીસમી ગાથામાં “સતિય-હૃક્ષ-વહુ-TITUT- HTTહું' તથા સ મન્ન-નોખિહિં પદો પણ “ઉપમા અલંકારથી અલંકૃત છે. રૂપક એક પદાર્થને બીજા પદાર્થની સાથે સમાન ન કહેતાં એકરૂપ કહેવાથી રૂપક અલંકાર થાય છે. જેમ કે “મુવમેવ ચન્દ્રઃ'-“મુખ એ જ ચંદ્ર છે.” સાતમી ગાથાના ‘ર--તિમિર' પદમાં અઢારમી ગાથાનાં “તમર-' પદમાં, ઓગણીસમી ગાથાનાં “યTM' પદમાં, છવ્વીસમી ગાથાનાં “Tય-નાટિં' પદમાં તથા છત્રીસમી ગાથાનાં “--મન્ન પદમાં “રૂપક અલંકાર છે. વ્યતિરેક ઉપમાન કરતાં ઉપમેયની ઉત્કૃષ્ટતા દર્શાવવી તે “વ્યતિરેક” અલંકાર છે. જેમ કે “અહો ! વિડન્વયત્વેષ, વન રોહમ્'-અહો ! તે વદન વડે કમલને પણ તિરસ્કૃત કરે છે.' પંદરમી ગાથામાં ‘વિમત-સતામ-સોનું' વગેરે ચારે ચરણોમાં વ્યતિરેક' અલંકાર છે. તે જ રીતે ઓગણીસમી ગાથામાં “અરૂ૫ય-સવિવાર-સમદિર-સન્વયં તવસા' –એ પંક્તિમાં પણ વ્યતિરેક' અલંકાર છે. કાવ્યલિંગ કારણ દર્શાવીને વાચ્યાર્થનું સમર્થન કરવાથી કાવ્યલિંગ' અલંકાર થાય છે. જેમ કે રિતોરિ મન્દ્ર ન્દ્ર ! મવડતિ ત્રિોનઃ ” “હે નીચ કામદેવ ! તું જિતાયેલો છે, કારણ કે મારા ચિત્તમાં ત્રિલોચન છે.' પહેલી ગાથામાં “ગંતિ ૨ પરંત-સન્ન-વ-પાર્વ' એ પંક્તિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy