SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ કરે છે, જે પિંડસ્થ-ભાવનાનો જ એક પ્રકાર છે. આ ભાવના કરતાં તેમની પ્રજ્ઞાનો પ્રકાશ અનેરી આભાથી ચમકી ઊઠે છે. અને ચૌદ સુંદર વિશેષણો વડે પ્રત્યેકની સ્તવના કરે છે. શ્રી અજિતનાથને ઉદ્દેશીને તેઓ કહે છે : gT '– ઇક્વાકુ કુલોત્પન્ન ! તમે વિશિષ્ટ દેહવાળા છો! એટલે ‘વિ છો ! અને હે “વિવે !' તમે નરીર છો કારણ કે સમસ્ત જનતાના હૃદય પર તમારું આધિપત્ય છે. વળી ! “નરીર !” તમે “નર વસર છો, કારણ કે ઋષભનારાચ-સંઘયણના ધણી છો, સમચતુરગ્ન સંસ્થાનના સ્વામી છો તથા અપાર રૂપ, અનુપમ કાંતિ, અદ્ભુત ગુણોને અપૂર્વ યશના સ્વામી છો. વળી હે નર-વસઈ !” તમે “મુળ-વસર પણ છો, કારણ કે તમે મુનિપણાનું ઉત્કૃષ્ટ પાલન કર્યું છે, અને તે “કુળ-વસઈ !” જયારે હું તમારા મુખ પર દૃષ્ટિપાત કરું. છું, ત્યારે એમ લાગે છે કે શરદઋતુની પૂર્ણિમાનો ચંદ્ર જ ઊગ્યો છે ! વળી હે નવસાર-સતિ !' તમારું મુખ પ્રકાશવંતું છે, તેમ તમારો આત્મા પણ પ્રકાશવંતો જ છે, એટલે કે તેમાંથી અજ્ઞાનરૂપી તમન્ મોહરૂપી રનમ્ નીકળી ગયેલ છે. અને તે “વિય ત” !” હે “વિ-ર !” તમે જેમ અજ્ઞાન અને મોહથી રહિત છો તેમ જ્ઞાનના ઉત્તમ તેજવાળા પણ છો અને તે ઉત્તમ-તે !' પુનરુક્તિનો દોષ વહોરીને પણ હું કહું છું કે તમે આ જગતના મહામુMિ°' છો, કારણ કે તમે અમિત આત્મ-બલનો પરિચય આપ્યો છે અને તે મિ-વત!' તમારું કુલ પણ વિશાળ છે. એટલે તમે “વિડત-' છો અને તે “વિપુઉત્ન'૧૨ !” તમે જ ભવનો ભય ભાંગો તેવા છો, એટલે “નવ-મ-મૂરખ' છો, અને હે “મવ-મય મૂરપ !” આ અશરણ જગતનાં પ્રાણીઓને તમે જ એક શરણભૂત હોવાથી કા–સર’ છો. અને તે “ન-સર?!” તમે જગતને શરણરૂપ છો તો મને શરણરૂપ કેમ નહિ થાઓ ? અવશ્ય થશો એવો આત્મવિશ્વાસ છે : માટે કહું છું કે “મને સર” (મવ) મને શરણરૂપ થાઓ. હે નાથ ! તમે મને શરણરૂપ છો, માટે જ તે પગમ'-તમને પ્રણામ કરું છું ! આટલા શબ્દો બોલીને જાણે મહર્ષિ નંદિષેણ ભવ-ભય-મૂરખ ! ના-સરખા ! મને સરળ’ એ પદોના ભાવની સાથે તન્મયતા અનુભવી રહ્યા હોય તેમ જણાય છે. (ગા. ૧૪) પછી તેઓ શ્રી શાંતિનાથની મહામુનિ તરીકે ભાવના કરતાં જણાવે છે કે “હે શાંતિનાથ !” તમે મહામુનિ છો, દેવ, દાનવ, ચંદ્ર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy