SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૪૧ તીર્થંકરની રાજરાજેશ્વર-અવસ્થાનું ચિંતન કરે છે. શ્રીઅજિતનાથ ભગવાન્ ઊંચા ક્ષત્રિય-કુલમાં જન્મ્યા હતા અને સાવથી નગરીના રાજા હતા. તેમનું સંઘયણ શ્રેષ્ઠ હાથીના કુંભસ્થલ જેવું પ્રશસ્ત અને વિસ્તીર્ણ હતું, તેમની છાતી સ્થિર અને સમાન હતી અથવા શ્રીવત્સના લક્ષણથી સુશોભિત હતી અને જાણે મદગલ હસ્તી ચાલતો હોય તેવી ચાલે તેઓ ચાલતા હતા. તેમના હાથ હાથીની સૂંઢ જેવા લાંબા અને ઘાટીલા હતા તથા શરીરનો વર્ણ ધમેલા સોના જેવો સ્વચ્છ પીળો હતો. વળી તેઓ અનેક શુભ લક્ષણોથી યુક્ત હતા અને સૌમ્ય તથા ચારુ રૂપવાળા હતા. તેમની વાણી દેવ-દુંદુભિના જેવી અત્યંત મધુર અને સુખકારક હતી. આવા શ્રીઅજિતનાથ પ્રભુ નિબારિશ' એટલે અંતરના અરિગણને જીતનારા થયા, અને ‘નિય-સન્ન થય' એટલે સર્વ ભયોને જીતનારા થયા. વળી ભવોની પરંપરાને માટે પ્રબળ શત્રુ પુરવાર થયા. આમ રાજરાજેશ્વરનું પદ તેમણે ઉભય રીતે સાર્થક કર્યું. આવા રાજ-રાજેશ્વર શ્રીઅજિતનાથ ભગવાનને હું પ્રણિધાન-પૂર્વક પ્રણામ કરું છું અને તેઓ મારાં પાપોનું પ્રશમન કરે તેવું ઇચ્છું છું. (ગા. ૧૧-૧૨) શ્રીશાંતિનાથ ભગવાન્ પણ ઊંચા ક્ષત્રિયકુલમાં જન્મ્યા હતા અને તેઓ સંસારી અવસ્થામાં કુરુ નામના જનપદની રાજધાની હસ્તિનાપુરના નરેશ્વર હતા. પછી છ ખંડ જીતીને ચક્રવર્તીના રાજ્ય વિસ્તારવાળા થયા કે જેમાં બોતેર હજાર મુખ્ય શહેરો, હજારો સુંદર નગરો અને નિગમો હતાં, તથા બત્રીસ હજાર રાજાઓ તેમના માર્ગને અનુસરતા હતા. વળી ચૌદ મહારત્ન, નવ મહાનિધિ અને ચોસઠ હજાર સ્ત્રીઓના તેઓ સ્વામી હતા અને ચોરાશી લાખ હાથી, ચોરાસી લાખ ઘોડા, ચોરાશી લાખ રથ તથા છન્નુ ક્રોડ ગામોના અધિપતિ હતા. વળી અતુલ સમૃદ્ધિ છોડીને તેઓ શ્રમણ થયા, અણગાર થયા, પ્રવ્રુજિત થયા અને ‘સવ્વ-મય સંતિળ’-સર્વ ભય સંતીર્ણ થઈને ‘તિર’-શાંતિકર થયા. આવા રાજ-રાજેશ્વર શ્રીશાંતિનાથ પ્રભુનું હું સ્તવન કરું છું. તેઓ મને શાંતિ આપો. (ગા. ૧૩) આ પ્રમાણે રાજ-રાજેશ્વરની ભાવના કર્યા પછી મહર્ષિ નંદિષેણ શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથ ભગવાનની મહામુનિ તરીકે ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy