SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨૭-૫) ભદ્ર (મવતુ) કલ્યાણ થાઓ. અહીં “મવતુ' પદ અધ્યાહાર છે. કોનું કલ્યાણ ? શ્રીવીર–નિન-નેત્રયો -શ્રીવીર જિનેશ્વરનાં નેત્રોનું. કેવાં છે એ નેત્ર ? કૃતાપરાધે મને પિ પા–મન્થર–તારયો –અપરાધ કરેલા મનુષ્ય ઉપર પણ અનુકંપાથી મંદ થયેલી કીકીવાળાં અને પદ્વપ્નિાદ્રયો -કંઈક આંસુથી ભીનાં થયેલાં. શ્રીમહાવીરપ્રભુ છદ્મસ્થ કાલ દરમિયાન વિહાર કરતાં ઘણા પ્લેચ્છોથી ભરપૂર દઢભૂમિમાં ગયા હતા અને ત્યાં પેઢાલગ્રામની નજીક પેઢાલ નામના ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા હતા. તે વખતે સંગમ નામના દેવે એક જ રાત્રિમાં વીસ મોટા ઉપસર્ગો કર્યા હતા અને ત્યાર પછી છ માસ સુધી તે પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, પરંતુ પ્રભુ તેનાથી જરા પણ ચલિત થયા ન હતા. એ પ્રસંગને અનુલક્ષીને કવિએ અહીં ઉક્ષા કરી છે કે પ્રભુને એ વખતે એવો વિચાર આવ્યો કે “અરે ! આ જીવનું શું થશે ?” અને તેના પ્રત્યેની અસીમ કરુણાથી તેમનાં નેત્રો અલ્પાશ્રુઝળઝળિયાં)થી ભીંજાયાં. (૨૭-૬) અપરાધ કરેલા મનુષ્ય ઉપર પણ અનુકંપાથી મંદ થયેલી કીકીવાળાં અને અલ્પાશ્રુથી ભીંજાયેલાં શ્રીમહાવીર પ્રભુનાં નેત્રોનું કલ્યાણ થાઓ. (૨૮-૪) વિનિતીન -જેણે અન્યનું તેજ જિતેલું છે એવા. વિનિત-જિતેલું છે, અન્યનું તેજસ્ તે વિનિતા તેના સુરાપુરાથી-વિતઃ -સુરો અને અસુરોના અધિપતિઓથી સેવાયેલા. કુર અને અસુર તે સુરસુર, તેના મથીશ તે સુરીશુરાધીશ, તેના વડે સેવિત તે સુરસુરીશ-વિત. ૩થીશ-અધિપતિ. સેવિત-સેવાયેલા. શ્રીમ-જ્ઞાનાદિ-લક્ષ્મીવાળા. વિનઃ નિર્મલ, પવિત્ર, દોષ-રહિત. ત્રાસ-વિરહિતઃ -ભય-મુક્ત. ત્રાસથી વિરહિત તે ત્રાસ-વિહિત. ત્રીસ-ભય, વિરહિત-વિરહ પામેલા, મુક્ત થયેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy