SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૧૯ અથવા તેનું ધોવાણ લઈ શકાય, તેમ આ આગારથી સમજવાનું છે. મચ્છર વા-છેન વા-સ્વચ્છ પાણી વડે. પરંતુ અહીં આ શબ્દો આગાર માટે હોવાથી કેવળ “શુદ્ધ' નહીં પણ દાણા કે મોટા રજકણો વિનાનું ધોવણ, ઓસામણ વગેરેનું બહુ નીતરેલું પાણી એમ અર્થ સંભવે છે. સિન્થ વા-સિક્શન વા] -ધાન્યના કણના (દાણાના) ઓસામણથી. સિક્ય-ધાન્યનો દાણો (કણ) તેવા કણવાળું ઓસામણ “સિવથ' કહેવાય. તે સિવાયના ઓસામણનો ત્યાગ. અર્થાત્ આ આગારથી અનાજનો કોઈ કણ રહી ગયો હોય તેવું પણ ઓસામણ-પાણી વાપરવાથી પચ્ચકખાણ ભાગતું નથી. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧. પૃ. પર૪. સિબ યા-[વિશેન વા-ધાન્યના દાણા કે મોટા રજકણો વિનાના ધોવણ-ઓસામણથી. જે ઓસામણ-ધોવણ વગેરેનાં પાણીમાં દાણા (અનાજના કણ) ન હોય, તેમ સ્થલ રજકણો પણ ન હોય તેવું બહુ નીતરેલું કે કપડાં વગેરેથી ગાળેલું પાણી સિવથ' કહેવાય. તે સિવાયના પાણીનો ત્યાગ અર્થાત્ તેવું પાણી-પીવાની આ આગારથી છૂટ રહે છે. (નિર્મલ પાણીને માટે છે' આગાર હોવાથી અહીં “શુદ્ધ નહીં પણ દાણા કે મોટા રજકણો વિનાનું ધોવણઓસામણ વગેરેનું બહુ નીતરેલું પાણી એમ અર્થ સંભવે છે.') -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧ પૃ. ૫ર૪. (૫) મધર્સ-[ઝાલામાસ્ત્રમ્ (બાવાનાન્ન9]-આયંબિલ. 'आयामम्-अवश्रावणं, अम्लं च सौवीरकं त एव प्रायेण व्यञ्जने यत्र भोजने ओदन-कुल्माष-सत्कुप्रभृतिके तद् आयामाम्लं समयभाषया उच्यते ।' (આ. ટી.)-“આયામ એટલે ઓસામણ (ધોવણ), અને અમ્લ એટલે સૌવીરક-કાંજી કે ખાટું પાણી. ભાત, અડદ અને જવ વગેરેના ભોજનમાં જેનો (આ બે વસ્તુનો) મુખ્ય ઉપયોગ હોય છે, તેને આગમની ભાષામાં આયંબિલ કહે છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy