SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ . સંથારા-પોરિસી સૂત્ર ૮૯ ક્ષમાપનાનું હાર્દ પ્રકાશ્ય છે અને સત્તરમી ગાથામાં માનસિક, વાચિક તથા કાયિક દુષ્કતોની નિંદા કરીને આલોચના કરેલી છે. આ રીતે સંથારા-પોરિસીમાં મનુષ્ય જીવનના અંત સમયે જે જે કરવાનું છે, તે બધું યોગ્ય રીતે દર્શાવલું છે. તેના પર વિચાર કરવાથી જીવનનાં દૃષ્ટિબિંદુમાં તથા પ્રવૃત્તિમાં મોટો ફેરફાર થવાનો સંભવ છે કે જે જીવનને બહિર્મુખમાંથી અંતર્મુખ બનાવે છે. (૭) પ્રકીર્ણક આ સૂત્ર સળંગ નથી, પરંતુ જુદી જુદી ગાથાઓના સંગ્રહરૂપ છે. તેની પહેલી ગાથા સંદર્ભરૂપે ધર્મસંગ્રહમાં ઉદ્ધત કરેલી યતિદિનચર્યાની ગાથાઓમાં (પૃ. ૧૦૭) તથા સ્પષ્ટ રૂપે ભાવદેવસૂરિ-વિરચિત યતિદિનચર્યાની મતિસાગર-વિરચિત વૃત્તિમાં ઉદ્ધત થયેલી જોવામાં આવે છે (પૃ. ૮૬). સૂત્રની બીજી અને ત્રીજી ગાથા ઓઘનિર્યુક્તિની ૨૦પ અને ૨૦૬ ક્રમાંકવાળી ગાથા છે કે જે શ્રી ભદ્રબાહુસ્વામીએ નવમા “પૂર્વ'ના આચાર નામક ત્રીજી વસ્તુના વીસમા “પ્રાભૃત'ના “ઓઘપ્રાભૃત-પ્રાભૃત” નામના વિભાગમાંથી ઉદ્ધરેલી છે. ચોથી ગાથા ધર્મસંગ્રહમાંથી ઉદ્ધત કરેલી યતિદિનચર્યાની પાંચમી ગાથા તરીકે જોઈ શકાય છે (ઉ. પૂ. ૧૦૭). પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથા આવશ્યકસૂત્રના પ્રતિક્રમણ અધ્યયનમાં મૂળસૂત્ર તરીકે જોવાય છે (પૃ. ૫૬૯). પછીની ગાથાઓ પૂર્વાચાર્ય-કૃત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy