SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ક્ષમાશ્રમણ ! આપને હું નિર્વિકાર અને નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. - આ પદોથી વંદન કરવાની ઇચ્છાનું નિવેદન થાય છે તેથી તે ઈચ્છાનિવેદન-સ્થાન” કહેવાય છે. શિષ્ય ઇચ્છાનું નિવેદન કર્યા પછી ગુરુ જો કામમાં હોય તો ‘ત્રિવિધેન' એવા શબ્દો કહે છે અને આજ્ઞા આપવી હોય તો “છ” “તમારી ઇચ્છા હોય તે પ્રમાણે કરો” એમ કહે છે. ૨ અનુજ્ઞાપન-સ્થાન મધુબાદ એ મિલાદું-મને આપની સમીપ આવવાની અનુજ્ઞા આપો. મિત અવગ્રહમાં દાખલ થવું એટલે ગુરુની મર્યાદિત ભૂમિમાં જવું. ગુરુ અહીં પ્રત્યુત્તર આપે છે કે- જુનાળમિ'-અનુજ્ઞા આપું છું. નિવરિ-સર્વ અશુભ વ્યાપારોનો ત્યાગ કરું છું. વંદનક્રિયા ભાવપૂર્વક કરવી હોય તો મનને સંપૂર્ણ રીતે તેમાં જ જોડવું જોઈએ. પરંતુ તે સ્થિતિ ત્યારે જ ઉત્પન્ન થાય છે, કે જ્યારે મનને અન્ય સઘળી પ્રવૃત્તિઓમાંથી પાછું ખેંચી લેવામાં આવે. અહીં નિહિ શબ્દ આવી સ્થિતિને સૂચવવા અર્થે વપરાય છે. મહોયં ય–સંજાલં રમણિmો છે ! જિનામો-હે ભગવંત ! આપના ચરણને મારી કાયાનો સ્પર્શ થતાં કિલામણ-ખેદ-તકલીફ થાય, તે સહન કરી લેશો. “નિશદિ બોલ્યા પછી ત્રણ પાછળના, ત્રણ આગળના અને ત્રણ ભૂમિના એ રીતે નવ સંડાસા(સંદેશ-ઊરુ-સંધિ, જાંઘ અને ઊરુની વચ્ચેનો ભાગ)નું પ્રમાર્જન કરી શિષ્ય ગોદોહિકા-આસને એટલે ઉભડક પગે ગુરુની સામે બેસે છે, અને રજોહરણ ગુરુ-ચરણ આગળ મૂકી તેમાં ગુરુ-ચરણની સ્થાપના કરે છે. પછી તે પર મુહપત્તી મૂકી એક એક અક્ષર સ્પષ્ટ સ્વરે જુદો જુદો બોલે છે. તે આ રીતે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy