SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સુગુરુ-વંદન સૂત્ર ૦ ૬૫ ૧. “યથાજાત-મુદ્રા' : જન્મતી વખતે જેવી મુદ્રા હોય અથવા દીક્ષા યોગ આદરતી વખતે જેવી મુદ્રા ધારણ કરવામાં આવે છે, તેવી નમ્ર મુદ્રા (બે હાથ જોડી લલાટે લગાડવા રૂપ) વંદન કરતી વખતે ધારણ કરવી તે યથાજાત મુદ્રા કહેવાય છે. અને તેવી જ મુદ્રા આ વંદન-પ્રસંગે કરવામાં આવે છે. તેમાં ચરવળો અને મુહપત્તી હાથમાં રાખી, બે હાથ જોડી અધોભાગ સિવાય ખુલ્લા શરીરે મસ્તક નમાવીને ઊભા રહેવાનું હોય છે. ૧૨ “કૃતિકર્મ'* દ્વાદશાવર્ત વંદન કરતી વખતે “અહો કાર્ય-કાય રૂપ ત્રણ અને જત્તા બે જવણિ, ર્જ ચ ભે' રૂપ બીજા ત્રણ એક વખતના વંદનમાં બોલતાં ગુરુ-ચરણે હાથનાં તળાં લગાડી પછી તે પોતાના લલાટે સ્પર્શનારૂપ ફરાય ત્યારે આવર્ત થાય છે. એટલે બે વારના બાર આવર્ત. ૪. શિરોનમન” : “કાયસંફાસ' કહેતાં સ્વ મસ્તક ગુરુ ચરણે નમાડવું તે એક શિરોનમન અને “ખામેમિ ખમાસમણો ! દેવસિય વઈક્કમ' બોલતી વખતે ફરી સ્વ મસ્તક નમાડવું તે બીજું શિરોનમન. બે વારનાં મળીને ચાર વાર શિરોનમન થાય છે. ૩. “ગુપ્તિ' : મન, વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવારૂપ ત્રણ ગુપ્તિ જાણવી. ૨. “પ્રવેશ: “અણજાણહ મે મિઉમ્મહ કહી પ્રથમ વખત વંદન કરતાં ગુરુની અનુજ્ઞા લઈને અવગ્રહમાં પ્રવેશ કરવો, તે પહેલો પ્રવેશ અને અવગ્રહમાંથી નીકળી ગયા પછી ફરી વાર અવગ્રહમાં પ્રવેશ કરવો તે બીજો પ્રવેશ. ૧. “નિષ્ક્રમણ' : અવગ્રહમાંથી આવર્સિએ' પદ બોલીને બહાર નીકળવું, તે નિષ્ક્રમણ. બીજી વારની વંદનામાં આ પદ બોલવામાં આવતું નથી, એટલે નિષ્ક્રમણ એક જ વાર થાય છે. * તઈયં તુ છંદણ દુગે-ત્રીજું દ્વાદશાવર્તવંદન વળી બે વાંદણા દેવાથી થાય છે. ગુરુવંદન ભાષ્ય ગાથા ૪ X “સંફાસ ખમણિજ્જો બે કિલામો ખામેમિ ખમાસમણો' બોલતાં ઓઘા કે ચરવળાને ગુરુચરણ કલ્પી ત્યાં મસ્તક (લલાટ) અડાડવું, (સ્પર્શના કરવી). તેને શિરોનમન કહેવાય છે. ત્રણ ભાષ્યનું વિજ્ઞાન પૃ. ૩૬ પ્ર.-૨-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy