SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નાણમ્પિ દંસણમ્પિ સૂત્ર ૦ ૪૫ સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે : “(૧) વાચના, (૨) પ્રચ્છના, (૩) પરિવર્તન, (૪) અનુપ્રેક્ષા અને (૪૫) ધર્મકથા.” સૂત્ર-પાઠ અને તેનો અર્થ ગ્રહણ કરવો, તે “વાચના'. તેના અંગે થતી શંકાઓનું નિરાકરણ કરવા પ્રશ્ન પૂછવા, તે “પ્રચ્છના'. તેની આવૃત્તિ કરવી-પુનરાવર્તન કરવું, તે પરિવર્તના'. તેનું તત્ત્વ ચિંતવવું, તે “અનુપ્રેક્ષા” અને તેનો અન્યને યોગ્ય રીતે વિનિમય કરવો, તે “ધર્મ-કથા'. આ પાંચ પ્રકારનો “સ્વાધ્યાય' એ ચોથા પ્રકારનું “આત્યંતર તપ” છે. મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રો જ સ્વાધ્યાય'નો વિષય મનાયેલો છે; અને તે ચોથા પ્રકારનું “આત્યંતર તપ” છે. રૂપ-ધ્યાન. ધ્યાન'ના ચાર ભેદો છે : “(૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ અને (૪) શુક્લ.” તે પૈકી “ધર્મધ્યાન' અને “શુક્લધ્યાન” ઉપાદેય મનાયેલાં છે. પરંતુ આ જાતના “ધ્યાનમાં કેવી રીતે સ્થિર થવાય તે સમજવું ઘટે છે. મન અતિ ચંચળ હોઈને જુદા જુદા અનેક વિષયોમાં પરિભ્રમણ કરતું જ રહે છે. એટલે વિષયોની આસક્તિ જ્યાં સુધી ઘટે નહિ, ત્યાં સુધી મન ધર્મધ્યાનમાં સ્થિર થતું નથી. તે માટે જ ઉપવાસ ઊનોદરતા, દ્રવ્ય-સંક્ષેપ, રસ-ત્યાગ, આસનાદિ કાય-ક્લેશ અને ઇંદ્રિય-જય, કષાય-જય, યોગ-નિરોધ તથા એકાંત-સેવન આદિનું વિધાન છે. એ બધાં તપો મનને શાંત અને સ્થિર કરવા માટે ઉપયોગી છે. એ રીતે મન જ્યારે અમુક અંશે શાંત અને સ્થિર થાય, ત્યારે જ તે ધર્મધ્યાનમાં ઉપષ્ટભક ટકાવનાર મૈત્રી આદિ શુભ ભાવનામાં રહી શકે છે. “ધર્મધ્યાન'માંથી આગળ વધતાં “શુક્લધ્યાનમાં પહોંચાય છે, જે અતિ ઉચ્ચ કક્ષાનું ધ્યાન' છે. એમાં આરૂઢ થયેલો આત્મા ક્રમશઃ આગળ વધતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એટલે “ધ્યાન' એ પાંચમા પ્રકારનું “આત્યંતર તપ' છે. રસો -ત્યાગભાવ. ‘ઉત્સર્ગ' એટલે ત્યાગ. તે બે પ્રકારનો હોય છે : “દ્રવ્યવ્યત્સર્ગ અને ભાવ-બુત્સર્ગ.” તેમાં ‘દ્રવ્ય-બુત્સર્ગ ચાર પ્રકારનો છે : “(૧) ગણવ્યુત્સર્ગ (લોકસમૂહનો ત્યાગ કરી એકાકી વિચરવું.), (૨) શરીર-બુત્સર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy