SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણનો અર્થ સમજાવનારાં આઠ દેષ્ટાંતો ૫૦૭ ગોકુળથી ગામમાં આવવાના બે રસ્તા હતા, તેમાં એક ટૂંકો પણ વિષમ હતો, જ્યારે બીજો લાંબો પણ સુગમ હતો. હવે એક પુત્ર જલદી પહોંચવાના લોભે ટૂંકે રસ્તે ચાલ્યો, તેથી માર્ગમાં તેના દૂધના ઘડાઓ અથડાઈને ફૂટી ગયા, જ્યારે બીજો સુગમ રસ્તે ચાલવાથી સહી-સલામત પહોંચી ગયો. એટલે મામાએ પ્રસન્ન થઈને તે ભાણેજને પોતાની પુત્રી પરણાવી, અને બીજાને કહ્યું કે-મેં તમને દૂધ લાવવાનું કહ્યું હતું, પણ કાંઈ ઉતાવળે લાવવાનું કહ્યું ન હતું.' અને તેને રજા આપી. તાત્પર્ય કે જેઓ ઉતાવળા કે આકળા થઈને અથવા ઓછી સમજથી વિષમ માર્ગે એટલે અશુભ યોગમાં પ્રવર્તન કરે છે, તેઓ પહેલા ભાણેજની માફક ચારિત્રરૂપી દૂધની રક્ષા કરી શકતા નથી, જ્યારે વિષમ માર્ગને પરિહરી સન્માર્ગે એટલે શુભયોગમાં પ્રવર્તન કરનારા બીજા ભાણેજની જેમ ચારિત્રરૂપી દૂધનું રક્ષણ કરી શકે છે અને મુક્તિરૂપી કન્યાને વરી શકે છે. આ રીતે અશુભ યોગને પરિહરવો તેને ‘પરિહરણા' કહેવાય છે. (૪) ‘વારણા' ઉપર વિષ-મિશ્રિત અન્ન-પાનનું દૃષ્ટાંત એક શહેરમાં બીજા રાજાનું સૈન્ય ચડી આવવાથી ત્યાંના રાજાએ દરેક ખાવા યોગ્ય વસ્તુઓમાં અને પીવાના પાણીમાં (વિષ) ઝેર ભેળવી દીધું. આ વાતની ચડાઈ કરનાર રાજાને ગુપ્તચરો દ્વારા ખબર પડી ગઈ, એટલે તેણે પોતાના સૈનિકોને હુકમ કર્યો કે ‘કોઈએ આ ગામની વસ્તુઓ ખાવી નહિ કે તેનાં જલાશયોનું પાણી પીવું નહિ.' આ રીતે વારવા છતાંમનાઈ કરવા છતાં કેટલાક સૈનિકોએ ત્યાંનું અન્ન ખાધું અને પાણી પણ પીધું, તેથી તેઓ તત્કાલ મૃત્યુ પામ્યા, અને જેમણે કંઈ પણ ન લીધું, તે જીવીને સુખી થયા. તાત્પર્ય કે જેઓ ઇન્દ્રિયોના વિષયોરૂપી વિષમય અન્નપાનનો ત્યાગ કરે છે, તેઓ સુખી થાય છે અને જેઓ તેમાં આસક્ત બને છે, તેઓ માર્યા જાય છે. આ રીતે ઇન્દ્રિયોના વિષયોમાંથી તેમજ પ્રમાદ આદિ દોષોમાંથી આત્માને વારવો તે ‘વારણા’ કહેવાય છે. (૫-૪) ‘નિવૃત્તિ’ ઉપર બે કન્યાઓનું દૃષ્ટાંત એક નગરમાં એક શાળાપતિ વણકર રહેતો હતો. તેની શાળાને વિશે ધૂર્તો આવીને વસતા હતા. તેમાં એક ધૂર્તનો સ્વર બહુ જ મીઠો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy