SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ગુરુને છોડવા નહિ. ગુણવાન ગુરુની સતત સેવામાં રહેવાથી તેમનું પ્રશસ્ત દર્શન પ્રાપ્ત થાય છે, વિનયનો લાભ થાય છે, બીજા મુમુક્ષુઓને પણ માર્ગનું ભાન થાય છે અને દીક્ષા વખતે કરેલું આત્માનું સમર્પણ સફળ થાય છે. આ રીતે બીજા પણ અનેક લાભો થાય છે. તેથી ગૌતમસ્વામી વગેરે તે ભવે મોક્ષે જનારા મહાપુરુષોએ પણ ગુરુકુળ-વાસ સેવ્યો છે. માટે પોતાના સંસારી કુલને છોડીને કુલીન એવા-મુમુક્ષુ આત્માએ સાધુ-આચાર્ય મહારાજની સેવા જરૂર આદરવી.* ગુરુ વિના જ્ઞાન નહિ' એ ઉક્તિ જગપ્રસિદ્ધ છે. તેમાં પણ બ્રહ્મ કે આત્મા જેવા ગૂઢ વિષયનું જ્ઞાન ગુરુ વિના પ્રાપ્ત થવું અશક્ય છે; તેથી મુમુક્ષુ આત્માએ સદ્દગુરુનું શરણ અવશ્ય શોધવું ઘટે છે. મુંડકોપનિષદ્દમાં કહ્યું છે કે-“તદિશાનાર્થી ગુરુમેવાધિષ્ઠત્ મિત્પાળિઃ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ્ !' તે(આત્મા)ના વિશેષ જ્ઞાન અર્થે મુમુક્ષુ સમિધ વગેરે હાથમાં લઈને શ્રોત્રિય(શ્રુત-વેદ વગેરેને જાણનાર) અને બ્રહ્મનિષ્ઠ (આત્મજ્ઞાની) એવા ગુરુની સમીપે જાય. તાત્પર્ય કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ગુરુની અત્યન્ત આવશ્યકતા છે. (૮) ગુરુ કેવા જોઈએ ? “ગુરુ કેવા જોઈએ? તે પ્રશ્ન પણ વિચારણીય છે. અધ્યાત્મશાસ્ત્રના + લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે "शिवे रुष्टे गुरुस्त्राता, गुरौ रुष्टे न कश्चन । तस्मात् सर्वप्रयत्नेन, गुरुमेव प्रसादयेत् ॥" જો શિવ (ઈશ્વર) કોપે તો ગુરુ બચાવી શકે છે, પણ ગુરુ કોપે તો કોઈ બચાવી શકતું નથી, માટે સર્વ પ્રયત્નથી ગુરુને પ્રસન્ન કરવા. “મવિહીન, તપો વિદ્યા વ્રતં નમ્ | व्यर्थं सर्वं शवस्येव, नानाऽलङ्कारभूषणम् ॥" જેમ મડદાને ધારણ કરાવેલાં વિવિધ પ્રકારનાં આભૂષણો વ્યર્થ છે, તેમ ગુરુભક્તિથી રહિત સાધકનાં તપ, વિદ્યા, વ્રત અને કુલ વ્યર્થ છે. ૪ શ્રીપંચવસ્તુક ગ્રંથ-બ્લોક ૬૮૯થી ૬૯૪ સુધી પૃ. ૧૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy