SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૯૫ “શ્રીશત્તિ-સ્તવનગર, ગૃહીત્યા તવ વરમ્ | स्वस्थो गच्छ निजं स्थानमशिवं प्रशमिष्यति ॥७३॥ શ્રી શાંતિ-સ્તવન' નામના ઉત્તમ સ્તવનને લઈને (૮) સ્વસ્થતાપૂર્વક તારા સ્થાને જા; તેથી ઉપદ્રવની શાંતિ થશે. વળી શ્રીમાનદેવસૂરિના ગચ્છમાં થઈ ગયેલા એક વિદ્વાન સાધુએ તેમની સ્તુતિ કરતાં આ સ્તવનને સ્પષ્ટ રીતે “શાન્તિ-સ્તવ' તરીકે ઓળખાવેલું છે. જેમકે : "नड्डुल-नामनगरे कृतमेघकालैः, शाकम्भरीपुर-समागतसङ्घवाचा । शान्तिस्तवः प्रबलमारिभयापहारी, यैर्निर्ममे सुविहितक्रमममार्गदीपैः ॥" નાડૂલ (નાડોલ-મારવાડ) નામના નગરમાં ચોમાસું કરનારા અને સુવિહિતોના ક્રમ-માર્ગના દીપક જેવા (મંત્ર-શાસ્ત્રોમાં પારંગત એવા શ્રીમાનદેવસૂરિએ) પ્રબલ-ભયંકર મરકીના ભયને દૂર કરનારું ‘શાંતિ-સ્તવ' શાકંભરી નામના નગરથી આવેલા સંઘની વિનંતિથી બનાવ્યું.” તપાગચ્છ-નાયક ગુણરત્નસૂરિએ સં. ૧૪૬૬માં રચેલા “ક્રિયારનસમુચ્ચય'ના અંતમાં ગુરુપર્વક્રમ-વર્ણનાધિકાર(શ્લો.૧૨)માં જણાવ્યું છે કે : “TI-નયાડ વિનિંતો નક્નપૂe-fસ્થતઃ. શાશ્મીપુરે મારિ બદ્દે શાન્તિ-સ્તવીર્વે : " “પદ્મા, જયા વગેરે દેવીઓથી નમન કરાયેલા, નફૂલપુરી(નાડોલ, મારવાડ-ગોડવાડ-પંચતીર્થીઓમાં રહેલા જેમણે (માનદેવસૂરિએ) શાંતિસ્તવથી શાકંભરીપુરમાં પ્રકટેલી મારી(મરકી)ને હરી હતી-દૂર કરી હતી.” તપાગચ્છાધિપતિ મુનિસુંદરસૂરિએ સં. ૧૪૬૬(૯૯)માં રચેલી “ગુર્નાવલી'(શ્લો. ૩૦થી ૩૪)માં ગુરુ માનદવસૂરિનું સંસ્મરણ કરતાં તેમણે રચેલા આ શાંતિસ્તવથી મારી(મરકી)ને દૂર કરી હતી, તેમ સૂચવ્યું છે : "वर्षासु नडुलपुरस्थितोऽपि, शाकम्भरीनाम्नि पुरे प्रभूताम् । तदागतश्राद्धगणार्थनातः शान्तिस्तवाद् मारिमपाहरद् यः ॥" ભાવાર્થ :-“પ્રભુ મહાવીરની પટ્ટ-પરંપરામાં થયેલા માનદેવસૂરિ, જેઓએ વર્ષાકાલ(ચોમાસા)માં નાડોલપુરમાં રહ્યા છતાં પણ શાકંભરી નામના નગરમાં ઉત્પન્ન થયેલી મારી(મરકી)ને, તે નગરથી આવેલા શ્રાદ્ધ-ગણની પ્રાર્થનાથી રિચેલા] શાંતિસ્તવથી દૂર કરી હતી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy