SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિતુ સૂત્ર ૦૨૮૧ "जमवस्सं करणिज्जं, तेणावस्सयमिदं गुणाणं वा । आवस्सयमाहारो, आ मज्जाया-ऽभिविहिवाई ॥८७४।। अवस्सं वा जीवं करेइ जं नाण-दसण-गुणाणं । संनेज्झ-भावण-च्छायणेहिं वाऽऽवासयं गुणओ ॥८७५॥" જે કારણથી અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી તે આવશ્યક છે, અથવા આવશ્યક પદમાં “આ” શબ્દ મર્યાદા અને અભિવિધિ અર્થનો વાચક છે, તેથી મર્યાદા અને અભિવિધિ (વ્યાપ્તિ) વડે ગુણોનો આધાર તે આવશ્યક છે. અથવા જે “આ” એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન-દર્શન ગુણોવાળો કરે તે “આવશ્યક'. અથવા સાન્નિધ્ય-ભાવના આચ્છાદના વડે ગુણથી આત્માને વાસિત કરે તે આવાસક-આવશ્યક કહેવાય છે.” આવશ્યક ક્રિયા બે પ્રકારની છે : “(૧) દ્રવ્ય-આવશ્યક અને (૨) ભાવ-આવશ્યક.” તેમાં શરીરના રક્ષણ માટે થતી ભોજન, શયન, શૌચ આદિ ક્રિયાઓ “દ્રવ્ય-આવશ્યક છે અને આત્માના રક્ષણ માટે થતી સામાયિક વગેરે ક્રિયાઓ “ભાવ-આવશ્યક છે. અહીં “ભાવ-આવશ્યક' પ્રસ્તુત હોવાથી તેનો જ “આવશ્યક” તરીકે વ્યવહાર કરેલો છે. શ્રીનંદીસૂત્રમાં તેના છ પ્રકારો નીચે મુજબ ગણાવેલા છે -'જે વિ तं आवस्सयं ? । आवस्सयं छव्विहं पण्णत्तं, तं जहा-१. सामाइअं, २. चउवीसत्थओ, ३. वंदणयं, ४. पडिक्कमणं, ५. पकाउस्सग्गो, ६. पच्चक्खाणं, સે આવરૂછ્યું ” “તે આવશ્યક કેવું છે ?” આવશ્યક છ પ્રકારનું કહેલું છે, તે આ રીતે :- ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદનક, ૪. પ્રતિક્રમણ, ૫. કાયોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન.” આ રીતે આવશ્યક કહ્યું.* અહીં “આવશ્યક' શબ્દથી આ “પવિધ આવશ્યક' સમજવાનાં છે. WI-[ણે-એના વડે. સાવો -[શ્રાવ:]-શ્રાવક. ગ વિ-[ T] જો કે. * વિશેષ માટે જુઓ. પ્રબોધટીકા ભાગ પહેલો, પરિશિષ્ટ પહેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy