SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૨૭૯ મનુષ્યને શા માટે ઉપયોગી છે, તેનું કારણ આ ગાથામાં દર્શાવવામાં આવ્યું છે. ‘માથા ૫૨ બોજાનો અતિરેક હોય-બોજો વધારે હોય, તો તેને નીચે ઉતારી નાખવાથી જેમ હળવાપણાનો અનુભવ થાય છે અને આરામ તથા સુખની લાગણી પ્રવર્તે છે, તેમ એક માણસે હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર વગેરે વડે જે જે પાપો કર્યાં હોય તે બધાંનો બોજો પોતાનાં પાપોનું ગુરુ સમક્ષ પ્રકાશન કરવાથી ઊતરી જાય છે. અહીં એટલું સમજવું જરૂરી છે કે પાપોનું પ્રકાશન, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની નિર્મળનિખાલસ ભાવનાપૂર્વક હોવું જોઈએ.' અહીં એક પ્રશ્ન વિચારણીય છે કે પોતાનાં પાપો બીજાની સમક્ષ પ્રકટ કરવાનું કારણ શું ? પોતાની ભૂલ સમજાય એટલે પોતે જ તેની શુદ્ધિ કરી લે તો કેમ ?' આ પ્રશ્નનો ઉત્તર એ છે કે માણસને પોતાનાં પાપોનો પશ્ચાત્તાપ ખરેખર જ થયો હોય તો તેનો ગુરુ-સમક્ષ ખુલ્લો એકરાર કરવો જોઈએ. તેમ કરવાથી મનમાં પેઠેલું ‘શલ્ય’નીકળી જાય છે અને મનની નિર્મલતા થાય છે. જો એ પ્રકારે યોગ્ય ગુરુની આગળ પાપનું પ્રકાશન કરી તેને માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરેલું હોતું નથી, તો તે પાપની સ્મૃતિ વારંવાર આવ્યા કરે છે, તેનાથી મન ડહોળાય છે અને જે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તેના વિશેનો ઉત્સાહ તૂટી છે. ઘણી વખત તો આવી પાપસ્મૃતિથી એટલી બધી નિરાશા થાય છે કે પોતાની ઉચ્ચ માર્ગે જવાની શક્તિ વિશે પણ સંશય ઊભો થાય છે. વળી વ્યવહારમાં જેમ સાક્ષીથી થયેલું કાર્ય મજબૂત બને છે, તેમ યોગ્ય ગુરુની સાક્ષીએ કરેલો પાપનો એકરાર વધુ દૃઢ બને છે અને ફરી જ્યારે પણ તેવા પાપનો પ્રસંગ આવે છે, ત્યારે ગુરુનું સ્મરણ તેમનો ઉપદેશ અને તેમણે આપેલું પ્રાયશ્ચિત્ત વગેરે યાદ આવતાં મોટા ભાગે પાપકર્મથી બચી જવાય છે. બીજો પ્રશ્ન એ છે કે જે માણસને કરેલાં પાપોનો ભાર લાગતો હોય, તે હળવાપણાનો અનુભવ કરે, પણ જેને ભાર જ લાગતો નથી, તેવો માણસ પ્રતિક્રમણ કરે તો તેને હળવાપણાનો અનુભવ શી રીતે થાય ?’ પરંતુ આ પ્રશ્ન અપ્રસ્તુત છે, કારણ કે પાપનો ભાર લાગવો અને તેના અંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy