SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨ પગરખાં નહિ પહેરું, એવો જે નિયમ તે ‘ઉપાનહ-નિયમ’. તેમાં પગરખાં શબ્દથી ચંપલ, બૂટ, ચાખડી, મોજડી, મોજાં વગેરે તમામ સાધનો સમજવાનાં છે. ૫. ‘તંબોલ-નિયમ’-ચાર પ્રકારના આહારો પૈકી સ્વાદિમ આહાર તે તંબોલ. તેમાં પાન, સોપારી, તજ, લવિંગ, એલચી વગેરેનો સમાવેશ થાય છે. તેનું દિવસ સંબંધી પરિમાણ કરવું, તે ‘તંબોલ-નિયમ’. ૬. ‘વસ્ત્ર-નિયમ’-પહેરવાનાં તથા ઓઢવાનાં વસ્ત્રોનું દિવસ-સંબંધી પરિમાણ નક્કી કરવું, તે ‘વસ્ત્ર-નિયમ’. ૭. ‘પુષ્પભોગ-નિયમ'-મસ્તકમાં રાખવાને લાયક, ગળામાં પહેરવાને લાયક, હાથમાં લઈને સૂંઘવાને લાયક વગેરે ફૂલો તથા તેની બનાવેલી વસ્તુઓ-જેવી કે ફૂલની શય્યા, ફૂલના તકિયા, ફૂલના પંખા, ફૂલની જાળી, ફૂલના ગજરા, ફૂલની કલગી, ફૂલના હાર-તોરા, તેલ, અત્તર વગેરેનું પરિમાણ નક્કી કરવું, તે ‘પુષ્પબોગ-નિયમ’. ૮. ‘વાહન-નિયમ’-રથ, હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, પાલખી, ગાડાં, ગાડી, સગરામ, સાઇકલ, મોટર, રેલવે, આગબોટ, ટ્રામ, બસ, વિમાન વગેરે એક દિવસમાં આટલાથી અધિક ન વાપરવાં, એવું પરિમાણ નક્કી કરવું, તે ‘વાહન-નિયમ’. ૯. ‘શયન-નિયમ‘-શય્યા વગેરેને લગતો નિયમ. તે એ રીતે કે ‘હું આજના દિવસે ખાટ, ખાટલા, ખુરશી, કોચ, ગાદી, તકિયા, ગાદલાં, ગોદડાં તથા પાટ-પ્રમુખ, અમુકથી વધારે વાપરીશ નહિ.’ ૧૦. ‘વિલેપન-નિયમ'-વિલેપન તથા ઉર્તનને યોગ્ય દ્રવ્યો-જેવાં કે ચંદન, કેસર, `કસ્તૂરી, અંબર, અરગજો તથા પીઠી પ્રમુખ દ્રવ્યોના પરિમાણનો દિવસ-સંબંધી નિયમ કરવો, તે ‘વિલેપન-નિયમ'. ૧૧. ‘બ્રહ્મચર્ય-નિયમ’-દિવસે અબ્રહ્મ સેવવું તે શ્રાવકને વર્જ્ય છે તથા રાત્રિમાં પણ શક્તિ મુજબ નિયમન કરવું. આવશ્યક છે. તેના પરિમાણને લગતો જે નિયમ, તે ‘બ્રહ્મચર્ય-નિયમ'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy