________________
વંદિતું સૂત્ર ૦ ૨૧૭ સર્વે ધર્માનુષ્ઠાનો ઉપયોગ અથવા સાવધાનીપૂર્વક થાય ત્યારે શુદ્ધ ગણાય છે. તેમાં પ્રમાદની અધિકતાથી કે વિસ્મરણાદિ થવાથી ઉપયોગશૂન્યતા પ્રવર્તે તો અતિચાર લાગે છે. અહીં સામાયિકના પ્રસંગમાં સામાયિક લીધા પછી જો નિદ્રા કે પ્રમાદને લીધે અથવા ઘરની ચિંતા વગેરે કારણોને લીધે “સામાયિક ક્યારે લીધું હતું ? તે પૂરું થયું છે કે નહિ ?” વગેરે બાબતો ભૂલી જવામાં આવે, તો “સ્મૃતિ-વિહીનત્વ' નામનો પાંચમો અતિચાર લાગે છે.
(૨૭-૫) (અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી “સામાયિક વ્રત નામના પ્રથમ શિક્ષાવ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય, તેની આલોચના કરું છું.) તેમાં (૧) મનો-દુપ્રણિધાન, (૨) વચન-દુપ્પણિ ધાન અને (૩) કાય-દુપ્પણિધાન એ ત્રણ પ્રકારનું (દુર્ગાન) તેમજ (૪) અનવસ્થાન અને (૫) સ્મૃતિ-વિહીનત્વ એ પ્રમાણે નવમાં સામાયિક નામના વ્રતના (પાંચ) અતિ ચાર વિશે દિવસ દરમિયાન જે કાંઈ અશુભ કર્મ બંધાયા હોય તે સર્વેની હું નિંદા કરું છું.
અવતરણિકા–હવે બીજું શિક્ષવ્રત દશાવકાશિક'* નામના દશમાં
* યોગશાસ્ત્ર પ્ર. ૩, શ્લો. ૮૪)ની ટીકામાં કહ્યું છે કે
દિક્યુરિમાણ વ્રતને, વિશેષ એ જ “દેશાવકાસિક' વ્રત છે.
(૧) દિક્પરિમાણવ્રત માવજીવને માટે કે એક વર્ષ માટે કે ચાતુર્માસ માટે લેવાય છે.
(૨) “દેસાવકાશિકા' વ્રત એક દિવસ, એક પહોર કે એક મુહૂર્ત ઇત્યાદિ પરિમાણનું લેવાય છે. કહ્યું છે કે “સાવ સિમં પુન પિરિમાપ્ત નિર્વે સંવેવો !
દવા સવ્યવથા સંરવો પદ્રિ ની ૩ ll' ભાવાર્થ-છઠ્ઠા દિમ્પરિમાણ વ્રતને હંમેશાં સંક્ષેપ કરવો તે, અથવા તો હંમેશાં સર્વ વ્રતોનો જે સંક્ષેપ કરવો તે “દેશાવકાશિક' વ્રત કહેવાય છે.
આથી, “વત્તત્ર' ગાથામાં કહેલા ચૌદ નિયમો વર્તમાનમાં હંમેશાં શ્રાવકો સવારે લે છે સાંજે સંક્ષેપ કરે છે. અને ગુરુ પાસે ‘સાવલિયં પૂર્વેક્ષરવામ' ઇત્યાદિ પાઠથી દેશાવકાશિક' વ્રત ઉચ્ચરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org