SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ રંક મકાણ-વિષે અનર્થે (અનર્થ )] અનર્થદંડને વિશે. ત મ-તૃતીય-ત્રીજા(ને વિશે). મુખત્રા-[Tળવ્રત્તે-ગુણવ્રતને વિશે. નિ-[નિન્દ્રામિ-હું નિંદુ છું. (૨૬-૫) ખે-કામ વિકાર ઉત્પન્ન થાય તેવા વચનપ્રયોગોને વિશે. “કંદર્પનો સામાન્ય અર્થ કામ-વિકાર છે, પરંતુ પરિભાષાથી કામવિકારને ઉત્પન્ન કરનારા તમામ વાણી-પ્રયોગોને-અશ્લીલ મશ્કરી વગેરેને પણ “કંદર્પ જ ગણવામાં આવે છે. અહીં સામાચારી એવી છે કે વ્રતધારી શ્રાવકે અતિશય હસવું નહિ, તેમ છતાં જો હસવું જ પડે તો માત્ર મુખ મલકાવવું કે બહુ જ થોડું હસવું એટલે અટ્ટહાસ્ય થઈ જાય, કોઈને ગાળ દેવાઈ જાય કે શરતચૂકથી કામ-વિકારને ઉત્પન્ન કરનારા કોઈ અશ્લીલ શબ્દનો પ્રયોગ થઈ જાય, તો તે “અનર્થદંડ-વિરમણવ્રત'નો “કંદર્પ નામનો પ્રથમ અતિચાર ગણાય છે. પ-નેત્રાદિકની વિકૃત ચેષ્ટને વિશે. “કૌન્દુશ્મનો સામાન્ય અર્થ નેત્રાદિકના વિકાર-પૂર્વકની હાસ્યને ઉત્પન્ન કરનારી વિકૃત ચેષ્ટા છે, પરંતુ સામાચારીથી તેમાં નીચેની ક્રિયાઓ ગ્રહણ કરવામાં આવે છે : (૧) લોકોને હાસ્ય ઉત્પન્ન થાય, તેવી ચેષ્ટાઓથી બોલવું. (૨) લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાથી ચાલવું. (૩) લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તે રીતે બેસવું. (૪) હલકાઈ જણાવનારા કોઈ પણ પ્રકારના ચેનચાળા કરવા. શ્રાવકે આવી ક્રિયાઓ કરવી ઉચિત નથી, તેમ છતાં જો ઉપયોગશૂન્યતાથી થઈ ગઈ હોય, તો “કૌત્કચ્ય” નામનો બીજો અતિચાર ઊપજે છે. મોરવાચાળતા. ઉચિત કે અનુચિતનો વિવેક કર્યા વિના બોલે જ રાખવું, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy