SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અર્થહીન હોઈ “અનર્થદંડ'નું કારણ છે. ઘણી વાનીઓ, ઘણી વસ્તુઓ, અનેકવિધ મસાલા, અનેકવિધ ચટણીઓ, તથા વિવિધ રાઈતાં અને વિવિધ અથાણાંઓનો ઉપયોગ કરવો, તે એક રીતે “અનર્થદંડ જ છે; કારણ કે તે શરીરનાં ધારણ અને પોષણને માટે અનિવાર્ય નથી. અન્યને “રસમાં આસક્તિ ઊપજે તેવો એક યા બીજા પ્રકારનો પ્રયાસ કરવો તે પણ “અનર્થદંડ” જ છે, એટલે ધર્મી જનોએ તે પ્રકારની પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. ગંધ' : પુષ્પો, સુગંધી દ્રવ્યો, ઊંચી જાતનાં તેલો અને અત્તરો વગેરેમાં આસક્તિ રાખવી અને બીજાની આગળ તેનાં વખાણ કરી તેમને પણ એમાં રસ લેતા કરવા, એ “ગંધ' સંબંધી “અનર્થદંડ છે. એ જ રીતે ઉપલક્ષણથી સ્પર્શ-સંબંધી સમજી લેવાનું છે. વસ્ત્ર’–સુઘડતા જરૂરી છે પણ વસ્ત્રના રૂપ-રંગને વધારે પડતું મહત્ત્વ આપીને તેમાં આસક્ત થવું તથા બીજાની આગળ તેનાં ભભકભર્યા વર્ણનો કરવાં. એ વસ્ત્ર-સંબંધી “અનર્થદંડ” છે. “આસન'-વધારે પડતું રાચ-રચીલું રાખવું, એ “આસન-સંબંધી અનર્થદંડ છે. “આભરણ'-વધારે પડતાં ઘરેણાં રાખવાં, તેના વિશે અભિમાન કરવું અને બીજાની આગળ તેના જુદી જુદી રીતે દેખાવો કરવા, એ આભરણ-સંબંધી “અનર્થદંડ છે. (૨૫-૫) આઠમા “અનર્થદંડ વિરમણ વ્રતનો ચોથો પ્રકારપ્રમાદાચણ ૧. સ્નાન, ૨. ઉદ્વર્તન, ૩. વર્ણક, ૪, વિલેપન, ૫. શબ્દ, ૬. રૂપ, ૭. રસ ૮. ગંધ ૯. વસ્ત્ર, ૧૦. આસન અને ૧૧. આભરણ-સંબંધી સેવાયેલા અનર્થદંડ વડે દિવસ-દરમિયાન જે અતિચારો લાગ્યા હોય, (જે અશુભ કર્મ બંધાયા હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે આઠમા “અનર્થદંડ વિરમણ વ્રત વિશે પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. (૨૬-૩) વંધે-[ ]-કંદર્પ, કંદર્પ વિશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy