SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘મોકાનમમો, ન માગોળોનામો:' વિશેષ ઉપયોગની ક્રિયા તે આભોગ.” ન આભોગ તે “અનાભોગ'. એટલે વસ્તુ ખ્યાલમાંથી તદન નીકળી જવી, વીસરાઈ જવી એ “અનાભોગ” ક્રિયા છે, તેના વિશે, તેના વડે. આ પદમાં તથા તેની પછીનાં બે પદોમાં તૃતીયાથે સપ્તમી વપરાયેલી છે. મો-[fમ-અભિયોગથી, આગ્રહથી, દબાણથી. ‘મિયોનનમિયો:'-ચારે બાજુથી જોડવું, દબાણપૂર્વક જોડવું તે અભિયોગ'. જેમાં સ્વેચ્છા નહિ પણ આગ્રહ, દબાણ કે બલાત્કાર કારણભૂત હોય છે, તેને “અભિયોગ” કહેવામાં આવે છે. નિમો-[નિયો-નિયોગથી, ફરજને લીધે. નિયોગ' એટલે અધિકાર કે ફરજ, તેના લીધે. એટલે જે કામ અધિકારવશાત કે ફરજ બજાવવા માટે કરવું પડ્યું હોય, તેને લીધે. ડિક્ષને સબં-પૂર્વવત. (પ-૪)આગળ નિકાળે વાળે અવંગળ-આવતાં, જતાં ઊભા રહેતાં, વારંવાર ચાલવામાં કે અહીં-તહીં ફરવામાં જે અશુભ કર્મ બંધાયું હોય. અતિચારોની વિશિષ્ટ રીતે આલોચના કરતાં પહેલાં ગમનાગમનનું પ્રતિક્રમણ કરવું ઘટે છે. તેથી તે અંગેની ક્રિયાઓનો અહીં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. (૧) આવવું તે “આગમન'. (૨) જવું, તે “નિર્ગમન'. (૩) આગમન કે નિર્ગમન ન કરતાં એક જ સ્થળે ઊભા રહેવું, તે સ્થાન”. (૪) આગમન અને નિર્ગમન બને જેમાં સંયુક્ત છે, તે જવાઆવવાની કે વારંવાર ચાલવાની કે અહીં-તહીં ફરવાની ક્રિયા, તે “ચંક્રમણ'. ધર્માનુષ્ઠાન કે શુભ પ્રવૃત્તિના હેતુ સિવાય થતી આ પ્રકારની ક્રિયાઓ અશુભ કર્મબંધનું કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy