SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શ્રાવકનો ધર્મ તે “શ્રાવકધર્મ તેમાં લાગેલા અતિચારો તે શ્રાવકધર્માતિચારો, તેથી. અહીં અતિચાર શબ્દ જાતિ અર્થમાં એકવચનાત છે, માટે સર્વ જાતિના અતિચારોથી એમ સમજવું. “શ્રાવક' શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૧૧. ધર્મ' શબ્દથી અહીં બાર વ્રતો કે તે પૈકીના કોઈ પણ વ્રતવાળો ધર્મ, અપેક્ષિત છે. એટલે કે શ્રાવકને અંગે જણાવેલા જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેના કુલ ૧૨૪ અતિચારોથી નિવૃત્ત થવા ઈચ્છું છું. (૧-૪) વંવિનુ સર્વાસિદ્ધ થાયરિ મ સવ્વસાહૂ અ-સર્વ અરિહંતોને, સિદ્ધોને, આચાર્યોન, ઉપાધ્યાયોને અને સર્વ સાધુઓને વંદન કરીને-આ પ્રમાણે અર્થ થાય છે. તેથી આ પહેલી અડધી ગાથાથી સર્વ વિઘ્નોની શાંતિ માટે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે જેણે, એવો શ્રાવક અહીં અપેક્ષિત છે. રૂછામિ ડિમિનું સવિ-ધHIકારશ્ન-શ્રાવક-ધર્મમાં લાગેલા અતિચારોથી એટલે કે ૧૨૪ અતિચારોથી નિવૃત્ત થવા. ધારણ કરેલા શ્રાવક-વ્રતમાં પ્રમાદથી કે શરત-ચૂકથી જે કાંઈ ભૂલો કે સ્કૂલનાઓ થઈ હોય, તેને યાદ કરીને, તેથી પાછો ફરું છું. (૧-૫) સર્વે અરિહંત ભગવંતોને, સિદ્ધ ભગવંતોને, ધર્માચાર્યોને, ઉપાધ્યાય ભગવંતોને તથા સર્વે સાધુઓને વંદન કરીને શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું. અવતરણિકા-સાધારણ રીતે શ્રાવક બાર વ્રતધારી અને જ્ઞાનાચારાદિ પાચેય આચારને પાલન કરનાર હોવો જોઈએ. એ બાર વ્રત અને પંચાચારના પાલનમાં પ્રમાદવશાત્ અતિચારોનો સંભવ હોવાથી તે અતિચારોનું ઓઘદષ્ટિએ સામુદાયિક પ્રતિક્રમણ આ બીજી ગાથામાં દર્શાવાયું છે. (૨-૪) -[ ]–જે. -[+]-મારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy