SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચાર-આલોચના-સૂત્ર૭૯૩ હોય અથવા તો આચારને યોગ્ય ન હોય, તે સઘળાની આલોચના કરું છું. ત્યારબાદ ના રંસ વરિત્તારિત્વે સુણ સામાપ એ પાંચ પદો વડે અતિચાર શેના વિશે થાય છે તે જણાવ્યું છે. આ પાંચ પદોમાં પહેલાં ત્રણ પદો સાધ્યને અનુલક્ષીને અને બાકીનાં બે પદો સાધનને અનુલક્ષીને બોલવામાં આવે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ગુણો છે, તેથી ‘સાધ્ય છે; અને તેની સિદ્ધિ શ્રુત તથા સામાયિકની ઉપાસના વડે થાય છે, એટલે તે “સાધન છે. આ પછી મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિરૂપ ત્રણ પ્રકારની ગુપ્તિમાં તથા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળી બાર પ્રકારના શ્રાવકધર્મમાં ચતુર્વિધ કષાયના યોગે જે કાંઈ ખંડના કે વિરાધના થઈ હોય તે જણાવવાને માટે “તિખું કુત્તીથી વં વિરાત્રિ સુધીનાં પદો બોલવામાં આવે છે. મતલબ કે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો ચારિત્રના વિકાસમાં મુખ્ય અંતરાયરૂપ હોઈ તેનું થોડું સરખું સેવન પણ અનિષ્ટ છે, અને તેથી ફરી તેમ ન બને તેની પૂરી તકેદારી રાખવાની છે. આ રીતે અન્ય કારણોથી - કે કષાયના ઉદયથી થયેલા સર્વ અતિચારો માટે સાધકે અત્યંત દિલગીર થવાનું છે અને ફરી તેવું ન કરવાના ભાવ સાથે “તમ્સ મિચ્છા મિ દુક્કડું'-તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ' એ શબ્દો બોલવાના છે. દિવસ દરમિયાન થયેલા અતિચારોને ગુરુ-સમક્ષ પ્રકટ કરવા માટે આ સૂત્ર યોજાયેલું છે, એટલે જ્યાં જ્યાં જે જે પ્રકારનો દોષ થયો હોય તે નિખાલસ હૃદયે ગુરુ-સમક્ષ પ્રકટ કરવાનો છે અને પરિણામે ગુરુ તેનું જે કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તે સ્વીકારીને દોષ-મુક્ત થવાનું છે. આ પ્રકારની નિખાલસતા અને નિર્મળતા પ્રતિક્રમણની ભાવ-આરાધના માટે ખાસ જરૂરની છે. (૭) પ્રકીર્ણક આવશ્યકસૂત્રના ચોથા* પ્રતિક્રમણાધ્યયનમાં અને પાંચમા કાયોત્સર્ગાધ્યયનમાં* શ્રમણધર્મ સાથે સંબંધ ધરાવતા પાઠ સાથે આ સૂત્ર આવે છે, તેને અનુસરીને આ સૂત્રની યોજના થયેલી જણાય છે. ૪ આ. ટી. પૃ. ૫૭૧. + આ. ટી. પૃ. ૭૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy