SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ ભવોચ્છેદક, ત્રિભુવનજનમાન્ય પરમ પ્રકૃષ્ટ આજ્ઞાના પાલનની ખાતર ક્રિયા કરવી જોઈએ. તેથી ભાવ સુધરે છે, ગુણ વિકસે છે અને દોષ ટળે છે; એટલા માટે શ્રી હરિભદ્રસૂરિ આદિ સૂરિપુંગવોએ સર્વધર્મવ્યાપારને મોક્ષનું કારણ કહેવા સાથે તેની જોડે પરિશુદ્ધ એવું વિશેષણ લગાડેલું છે. પરિશુદ્ધ એવો ધર્મવ્યાપાર મોક્ષનું કારણ છે. પરિશુદ્ધ એટલે આશયની વિશુદ્ધિવાળો. ક્રિયાના પાંચ પ્રકારના આશય ષોડશક આદિ ગ્રંથોમાં બતાવ્યા છે. તેમાં પ્રથમ પ્રણિધાન છે. પ્રણિધાન એટલે કર્ત્તવ્યતાનો ઉપયોગ, આ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ. એ બુદ્ધિ શાસ્ત્ર ઉપરના બહુમાનથી ઉત્પન્ન થાય છે, કારણ કે શાસ્ત્રના આદિકર્તા અરિહંતદેવ છે. તેથી પ્રત્યેક ક્રિયા કરતી વખતે આ ક્રિયા બતાવનાર શાસ્ત્ર છે, અને એ શાસ્ત્રના આદિ પ્રકાશક-આદ્ય પુરસ્કર્તા શ્રી અરિહંત પરમાત્મા છે, એ જાતિનું પ્રણિધાન રહેવાથી કર્તવ્યભાવના સતેજ રહે છે. બીજી બાજુ અરિહંત પરમાત્માનું ધ્યાન પણ ચાલુ રહે છે. તે માટે કહ્યું છે કે શાસ્ત્રને આગળ કરવાથી વીતરાગ આગળ કરાય છે અને વીતરાગને આગળ કરવાથી સર્વસિદ્ધિઓ નિયમા પ્રાપ્ત થાય છે.* જૈન દર્શનના મતે આ જ સાચું ઈશ્વરપ્રણિધાન છે. કેવળ ઈશ્વરનું નામ લેવાથી કે સ્તવન કરવાથી જ કલ્યાણ થઈ જશે, અથવા કેવળ વિવિધ પ્રકારનાં અનુષ્ઠાન કરવામાત્રથી જ કલ્યાણ થઈ જશે, એમ જૈન શાસન એકાંતથી કહેતું નથી. જૈન શાસન તો એમ કહે છે કે, શાસ્ત્રને આગળ કરીને ચાલો. શાસ્ત્રને આગળ કરવાથી શાસ્ત્રના પુરસ્કર્તા તરીકે એક બાજુ વીતરાગનું સ્મરણ, ધ્યાન તથા બહુમાન થાય છે. બીજી બાજુ પોતાની ભૂમિકાને યોગ્ય શાસ્ત્રનિર્દિષ્ટ કર્તવ્ય-કર્મમાં રત રહેવા માટે જરૂરી શ્રદ્ધાનું બળ પ્રાપ્ત થાય છે. વીતરાગનું નામસ્મરણ, સ્તવન-કીર્તન કે અર્ચનપૂજન પણ શ્રી જિનમતમાં વીતરાગની આજ્ઞાના પાલન તરીકે કરવાનું ફરમાવ્યું છે, કારણ કે તે આજ્ઞાપાલનનો પરિણામ જ જીવને સિદ્ધિનું સાચું કારણ બને છે. * શાસ્ત્ર પુરસ્કૃતે વીતરા: પુરસ્કૃત:। पुरस्कृते पुनस्तस्मिन्नियमात् सर्वसिद्धयः || १|| ज्ञानसार शास्त्राष्टक श्लोक-४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy