SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦૦શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ अण्णे उ लोगिग च्चिय, एसा णामेण वंदणा जइणी । = ત પન્ન તે વિય, ]િ મી ન ૩ મયિં શિવ ૪રા” અન્ય આચાર્યો આવી વંદનાનું ફળ દુર્ગતિ છે, તેમ ન કહેતાં માત્ર એટલું જ કહે છે કે આ વંદના લૌકિક છે, તેથી તેનું ફળ પણ લૌકિક જ છે. એટલે કે તેવી વંદના મોક્ષફળની પ્રાપ્તિ કરાવતી નથી. ૪૨. एयं पि जुज्जइ च्चिय, तदणारंभाउ तप्फलं व जओ । तप्पच्चवायभावो वि, हंदि तत्तो ण जुत्त त्ति ॥४३॥ એ પણ કહેવું ઠીક જ છે, કેમકે જૈની વંદના નહિ કરવાથી તેનાં ફળની માફક તેનું અનિષ્ટ પણ થતું નથી. એટલે તેને જૈની વંદના નહિ, પરંતુ લૌકિક વંદના જ સમજવી. ૪૩. जमुभयजणण-सभावा, एसा विहिणेयरेहिं ण उ अण्णा । ता एयस्साभावे, इमीए एवं कहं बीयं ? ॥४४॥ જૈની વંદના ઈષ્ટકર અને અનિષ્ટકર બને સ્વભાવવાળી છે. પ્રશ્ન-એક(વંદના)માં બે સ્વભાવો કેવી રીતે રહી શકે ? ઉત્તર-જો વિધાન કરેલ વિધિ પ્રમાણે (વંદના) કરીએ તો ઈષ્ટ ફળ આપે અને અવિધિથી કરીએ તો અનિષ્ટ ફળ આપે. બીજી (લૌકિક) વંદનામાં તો આમ છે નહિ. તેથી ઈષ્ટ કે અનિષ્ટ ફળ દેવાની જેનામાં શક્તિ નથી, તેને જૈની વંદના કેમ કહી શકાય ? અર્થાત્ તે લૌકિક વંદના જ છે. ૪૪. तम्हा उ तदाभासा, अण्णाएस त्ति णायओ णेया । मोसाभासाणुगया, तदत्थभावा णिओगेणं ॥४५॥ તેથી આ દૃષ્ટાંત વડે લૌકિક વંદનાને તદાભાસ વાસ્તવમાં તેવી નહિ છતાં તેવી દેખાતી-વંદના સમજવી, તથા તેમાં અર્થ અને ભાવનો અભાવ હોવાથી તેને એક પ્રકારની મૃષાભાષાયુક્ત ગણવી. ૪૫. * જૈન દર્શન માન્ય લોકોત્તર વંદના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy