SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ જીવાદિ તત્ત્વોના હેય, જ્ઞેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ હોય છે. નામસ્મરણની ઉપાદેય ભક્તિથી આરાધકની બોધિસમય જતાં ઉત્તરોત્તર વિશુદ્ધતા પામે છે. ૩. ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી ભવાંતરમાં પણ બોધિની વિશુદ્ધિની ક્રમિક ઉન્નતિ ચાલ્યા કરે છે તે ઉન્નતિ પરમ દશાએ પહોંચે તો જ મોક્ષ સિદ્ધ થાય. ૪. સાવઘ યોગોની વિરતિના ઉપદેશકપણાને લીધે ઉપકારી હોવાથી-જગતના તમામ જીવોનું હિત ઇચ્છી તેમને આત્મકલ્યાણનો સાચો રસ્તો બતાવવો એ કાર્ય તો કોઈ વિરલ વિભૂતિઓ વડે જ-જગદ્ગુરુઓ વડે જ કરી શકાય છે. તેવા જગદ્ગુરુઓ શ્રી અરિહંત પરમાત્માઓ જ-ચોવીસ તીર્થંકર ભગવંતો જ-છે. માટે જ લોગસ્સ સૂત્રમાં અરિહંત ભગવંતોનું જ ગુણોત્કીર્તન કરવામાં આવ્યું છે. ગુણોત્કીર્તન એ ગુણાનુરાગ હોવાથી ગુણની પ્રાપ્તિનું કારણ બને છે. જૈનેતર ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે વન્દે તદ્ગુણ ભવ્યયેભગવંતના ગુણો મને પ્રાપ્ત થાય તે માટે વંદન કરું છું. ગુણનો અનુરાગ ગુણી દ્વારા જ દર્શાવી શકાય છે. ગુણીનું પ્રત્યક્ષદર્શન એટલું બધું ઉપયોગી નીવડે છે કે સ્વતંત્ર રીતે તેનું ગ્રહણ, તેને વંદન, તેને નમસ્કાર, તેની પર્યુપાસના એ બધું તેના પ્રત્યક્ષપણાને લીધે જ થઈ શકે છે. સમ્યગ્દર્શનાદિ ધર્મ અરિહંત ભગવંતમાં સંપૂર્ણપણે છે . સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્ર-એ ત્રણ આત્માના સ્વાભાવિક ગુણો છે. તેથી તે ત્રણે ગુણો ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિકચારિત્ર વીતરાગપણે સર્વ કર્મનો ક્ષય કરી તેઓ સિદ્ધ દશા મેળવે તો ત્યાં પણ રહે છે. લોગસ્સ સૂત્રનું બંધારણ-આ સ્તવ સાત ગાથાનું છે. તેના ત્રણ ખંડ છે. પહેલી ગાથાનો પહેલો ખંડ જે સિલોગ છંદમાં છે, તે પ્રતિજ્ઞાનો નિર્દેશ કરે છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથાનો બીજો ખંડ જે ગાહા છંદમાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy