SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૫૯૭ નામસ્મરણ આટલું ગુણસંપન્ન અને કલ્યાણકારી છે એટલે જ તેને ભક્તિનું એક પ્રધાન અંગ ગણેલ છે અને જણાવેલ છે કે ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ છે.' નામસ્મરણ સઘળી શ્રેણીના સાધકો માટે પરમ ઉપયોગી તથા આત્મદર્શન કરાવનાર છે. ' લોગસ્સ સૂત્ર દ્વારા નામસ્મરણની પ્રાથમિક અવસ્થામાં ગુરુની અનુજ્ઞાની અને બ્રાહ્મતપના સાધનની આવશ્યકતા રહે છે. પરંતુ એક વખત આરાધના હૃદયમાં અરિહંત ભગવંતના નામ પ્રત્યે અનન્ય શ્રદ્ધા પ્રકટે, અંતરંગ પ્રીતિ જાગી ઊઠે, ત્યારે તેની બોધિની વિદ્ધિમાં તે નામસ્મરણ પરમ નિમિત્ત બને છે. ૨ નામસ્મરણનો ઉપર્યુક્ત પ્રભાવ ત્યારે જ અનુભવાય છે કે જ્યારે નામસ્મરણ અર્થના ઉપયોગપૂર્વકનું અને ગુણાનુરાગવાળું હોય. ઉપયોગ અને ભાવ વગરના નામસ્મરણને શાસ્ત્રોએ રાજાની વેઠની ઉપમા આપી છે. તેવું નામસ્મરણ સાધારણ ફળ જરૂર આપે છે પણ અભીષ્ટ ફળ આપવા સમર્થ બની શકતું નથી. અહીં નીચે પ્રમાણે બે શંકા થવા સંભવ છે :૧. ચોવીસ તીર્થંકરો કોઈ ક્ષેત્રમાં કોઈ કાલે એકઠા થયા નથી તો આરાધકના હૃદયક્ષેત્રમાં એક જ સમયે નામગ્રહણથી તેમને એકત્ર કરવાથી ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? ' ૨. (૧) એક તીર્થંકર ભગવાનમાં જે શ્રેષ્ઠ અને ઉત્તમોત્તમ ગુણોનો સમૂહ હોય તે ચોવીસેય તીર્થકરોમાં હોય. १. सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् ॥३२॥ -હાત્રિશત્ ધાત્રિશિકા (ચતુર્થ ધાત્રિશિકા) પત્ર ૨૫ અ २. दंसणयार-विसोही चउवीसायथएण किच्चइ य । अच्चब्भुअ-गुण-कित्तण रूवेण जिणवरिंदाणं ॥३॥ -ચઉસરણ-પDણય ગાથા ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy